Sunday 31 March 2019

40 Lent Sessions

માતાનું સપનું 

આપણા જીવનમાં આપણા માતાપિતા ના ઘણા સપના હોય છે. આ સપના ક્યારેક મોટા હોય છે, ક્યારેક નાના. ઘણા માબાપ પોતાના સપના પોતાના બાળકો પર થોપતા હોય છે, તો કેટલાક પોતાના બાળકના બધા સપના પુરા કરવા મથતા હોય છે,કેટલાક પોતાના સપના ધરોહર ની જેમ પોતાના બાળકને આપતા હોય છે. પોતાના સપના બાળક પુરા કરે ને બાળકના સપના પોતે પુરા કરે બંનેમાં ઘણો ફર્ક હોય છે.તેવી જ રીતે બાળક પર પોતાના સપના થોપાવ અને બાળકને પોતાના સપના આપવા બંને માં પણ ઘણોજ ફર્ક હોય છે. કેટલીક વાર બાળક પોતાના માતાપિતાને જોઈને શીખે છે. અજાણતાંજ તેમના સપના બાળકના સપના બની જાય છે. 
આપણું બાળક જન્મે ત્યારે પેહલીવાર એ જયારે નજર કરે ત્યારે, એ આપણી આંગળી પકડે ત્યારે, એ ઊંધું પડે ત્યારે, એ ભેખડિયા ભરે ત્યારે, એ પહેલું ડગલું ભરે ત્યારે આપણે ખુશ ખુશ થઇ એ છીએ. માતાપિતા પોતાના બાળકના પેહલા ડગલાં હંમેશા યાદ રાખે છે. એ ચાલતું થાય ત્યારે એની આંગળી પકડી ને દુનિયાની રેસમાં મૂકી દઈએ છીએ તો તેની આંગળી પકડીને થોડું ઈશ્વર પાસે લેવાનું કાર્ય પણ કરીયે તો કેવું સારું બાઇબલમાં કીધું છે કે "બાળકને યથાર્થ માર્ગ વિષે શિક્ષણ આપો તો એ જ્યારે વૃદ્ધ થશે ત્યારે પણ તે માર્ગ તે છોડશે નહિ. (નીતિવચનો 22:6)".
અમેરિકામાં 1990 અસપાસના સિંગર છે એમી ગ્રાન્ટ જેવો ઈશ્વર સ્તુતિના ગીતો ગાય છે. અમેરિકાના એક ગામમાં માતા પોતાની 5-6 વર્ષની દીકરી સાથે રહે. બહેન ને એમી ગ્રાન્ટ ના ગીતો બહુ ગમે. તેમના ઘરમાં આ જ ગીતો વાગે. માતા ને જોઈ ને બાળકીને પણ આજ ગીતો શીખી. એક વખત ગામમાં એમી નો શો હતો. પોતાની બાળકીને સૌથી આગળની જગ્યા મળે તે આશય થી આ માતા સવારના વેહલા શો ના સ્થળે પોહચી ગયાં. પરંતુ એમના પેહલા બીજા ઘણા લોકો આગળ જગ્યા લેવા આવી ગયા હતા. આટલી ભીડમાં પોતાની નાની બાળકી ને નુકશાન થવાના ડરથી તેવો મેદાનની બાજુના ઘરના ધાબા પરથી આ શો જોયો. માતા એ દીકરીને દિલાસો આપતા જણાવ્યું બીજી વાર આપણે જ આગલી હરોળ માં બેસીશુ. દીકરી નિરાશ થઇ ગઈ. માતા પણ દુઃખી થઇ ગઈ કે પોતે પોતાની દીકરીનું સપનું પૂરું ના કરી શકી. 
દિવસો જવા લાગ્યા ને વર્ષો જવા લાગ્યા. દીકરી મોટી થઇ ગઈ. દીકરી ભણીને એક ટીવી કમ્પનીમાં પરિચારિકા બની ગઈ. તેને એમી નો ઇન્ટરવ્યૂ લેવાનો મોકો મળ્યો. ત્યારે માતા ખુબ બીમાર હતા. પરંતુ આ સાંભળી ને તેવો ખુબ ખુશ થયા. માતાના મૃત્યુ બાદ એક વાર એમી ના લાઈવ પ્રોગ્રામમાં કામ કરવાનો દીકરીને મોકો મળ્યો. ત્યારે સ્ટેજની પાછળ કામ કરી રહેલી દીકરીની નાની 5 વર્ષની દીકરી પેહલી હરોળમાં બેઠી હતી. તે સમયે તેને અનુભવ થયો કે પોતાની માઁ પણ ત્યાંજ છે. દીકરીની આંખમાં આશુ આવી ગયા.
આપણે જયારે બાળક પર પોતાના સપના થોપવાની જગ્યા એ આપણા સપના આપીયે છીએ ત્યારે એ સપના પેઢીઓ સુધી ધરોહર બની ને સચવાય છે. ઈશ્વરની સ્તુતિનું સપનું માતાએ દીકરી ને આપ્યું, દીકરી એ તેની દીકરીને આપ્યું. આપણે આપણા બાળકોને ભૌતિક દોડમાં દોડવાનું શીખવાડીએ છીએ પરંતુ તેમને આધ્યાત્મિક શિક્ષણ પણ એટલું જ જરૂરી છે તે ભૂલી જઇયે છીએ. કહેવામાં આવ્યું છે કે "પિતાઓ, તમારા બાળકો સાથે એવી રીતે ના વર્તો કે તેઓ ગુસ્સે થાય, તેને બદલે તેઓને સારી તાલીમ અને પ્રભુના શિક્ષણથી ઉછેરો. (એફેસીઓને પત્ર 6:4)". આગળ જતા બાળક તણાવ અને ડિપ્રેશન માં આવી જાય છે. પરંતુ આપણે તેને યોગ્ય આધ્યત્મિક શિક્ષણ આપ્યું હોય તો તે આમાંથી બહાર નીકળી શકે છે. કેમકે "અને તમાંરાં સંતાનોને તે શીખવો, તમે ઘરમાં હોય કે રસ્તે ચાલતા હોય સુતાં હોય કે જાગતાં હોય, તેનું રટણ કરતા રહો. (પુનર્નિયમ 6:7)". અને તે હંમેશા તારી સાથે રહેશે.
Purvi Hope

Editor
Olivia Martins

Reference for Bible
Niyati Walter Gilbert

 Reference Story
Chicken Soup for the Soul

 Reference for Images

Saturday 30 March 2019

40 Lent Sessions

આંગણાનું ઝાડ 
આજે આપણે જીવન જીવવા ની એક સુંદર રીતે વિશે જાણીશું. ઈશ્વરે આપણને આ પૃથ્વી પર જીવન આપ્યું છે. તેને આપણે ખૂબ આનંદથી જીવી શકીએ છીએ, અથવા આપણને જે પ્રાપ્ત થયું છે, છતાં પણ અસંતોષ અને તણાવ સાથે જ જીવીએ.આ આપણી  છે. આ વાત આપણે આ રીતે સમજીયે.
બે મિત્રો હતા,જેઓ એકજ ઑફિસમાં કામ કરતા હતા. બન્ને પોત પોતાના કુટુંબમાં સુખી હતા. બંને કામ પૂર્ણ કરી અને પોતાના કૌટુંબીક જીવન માં પરોવાઈ જતા હતા. ક્યારેક તેઓને ઓફિસમાં કામનું ભારણ રહેતું. ત્યારે એક મિત્ર તણાવમાં આવી જતો, જ્યારે બીજો મિત્ર હંમેશા તણાવમુક્ત જ જોવા મળતો, અને હંમેશા આનંદથી પોતાના ઘર તરફ પ્રયાણ કરતો. બીજા મિત્ર ના મુખ પરથી તેના જીવનના કોઈ પણ તણાવની ખબર પડતી ન હતી, જ્યારે એનાથી ઉલટુ પ્રથમ મિત્ર નાની-નાની વાતમાં પણ તણાવમાં આવી જતો.

આ મિત્ર ઘરે પોતાનો બધો કંટાળો પોતાના કુટુંબ પર ઉતારતો, કદી તેની પત્ની પર ગુસ્સો કરતો કદીક  કદી તેના બાળકો પર ગુસ્સો કરતો, ક્યારેક ભોજન પર પણ પોતાનો ગુસ્સો ઉતારતો. તે મિત્ર પોતે પણ તણાવમાં રહેતો, અને તેની સાથે રહેનાર સઘળાને તણાવ આપતો. ઘણી વખત તે પોતાના સ્વભાવથી કંટાળતો, તેના કુટુંબના સભ્યો પણ તેના આ વર્તનથી કંટાળો પામતા.

જ્યારે બીજો મિત્ર હંમેશા ખુશ રહેતો અને તેની આજુબાજુના લોકોને પણ ખુશ રાખવાનો પ્રયત્ન કરતો. તે જ્યારે ઓફિસથી ઘરે આવતો ત્યારે પોતાના ઘરમાં પ્રવેશતા પહેલા, તેના ઘરના આંગણામાં એક ઝાડ હતું, તેની એક આદત હતી, કે જ્યારે પણ કામ ઉપરથી ઘરમાં આવે ત્યારે તે ઝાડની ડાળીઓ ને પકડીને થોડીવાર ત્યાં ઉભા રહેતા, ત્યારબાદ ઘરમાં પ્રવેશતા.
 એક વખત એવું બન્યું કે બંને મિત્રો ઓફિસથી સીધા બીજા મિત્રના ઘરે ગયા, રોજની આદત પ્રમાણે બીજા મિત્રે ઝાડ ની ડાળીઓ ને પકડીને થોડીવાર ઊભા રહ્યા અને પછી ઘરમાં પ્રવેશ કર્યો. ઘરમાં પ્રવેશીને તેમણે તેમના બાળકોને બાથમાં લીધા, અને પત્નીનું પણ પ્રેમથી અભિવાદન કર્યું. આ સઘળી પ્રક્રિયા તો બીજો મિત્ર જોયા કરતો હતો. તેણે તરત જ પોતાના ઘરની અને મિત્ર ના ઘર ની તુલના કરી. મિત્રના ઘરનું વાતાવરણ ઘણો આનંદ પૂર્ણ હતું. જ્યારે બીજી તરફ તે અને તેના કુટુંબના લોકો હંમેશા તણાવમાં રહેતા. તે સમયે તેણે કશું કહ્યું નહીં , મિત્રના ઘરે કામ પતાવીને તે પોતાના ઘર તરફ ફર્યો.

બીજા દિવસે ઓફિસમાં જ્યારે તેને તેનો મિત્ર મળ્યો ત્યારે તેણે તેને ઝાડ ની ડાળીઓ પકડીને ઊભા રહેવાનું કારણ પૂછ્યું, તેના મિત્રોએ કહ્યું એ મારું તણાવ લઈ લેનારો ઝાડ છે, હું જ્યારે કામ પરથી ઘરે આવું ત્યારે તણાવમાં હું છું અને કામથી થાકેલો પણ હોવુંછુ, પણ એ બધાંથી મુક્ત થવા માટે મેં આ પ્રયોગ કર્યો છે. જ્યારે પણ ઘરમાં હું પ્રવેશો તે પહેલા હું આ ઝાડ પર મારો બધો તણાવ અને થાક મૂકીને આવું છું. ત્યારબાદ ઘરમાં પ્રવેશું છું. મારા કુટુંબના લોકો સાથે બહુ આનંદથી સમય પસાર કરું છું. જેથી કરીને હું પણ તણાવમુક્ત રહી શકું, અને મારા કુટુંબના લોકોને પણ તણાવ મુક્ત રાખી શકું.

આપણે પણ આપણો તણાવ  અને થાક ઘણી બધી વખત આપણા કુટુંબના લોકો પર ઉતારીએ છીએ. તેઓ ઓફિસમાં રહેલા તણાવ થી વાકેફ હોતા નથી, પણ આપણા વર્તનથી તેઓ કંટાળો અનુભવે છે. ધીરે ધીરે આપણે સાથે વાતચીતનો વ્યવહાર પણ ઓછો કરી દે છે. આજના સમયમાં તનાવ દરેક ના જીવન નો ભાગ છે. જે કામ થી બહાર જાય છે તેવો ને એમનો તણાવ અને જેવો ઘરે છે તેવો ને પોતાનો અલગ તણાવ હોય છે. પરંતુ બિબલે માં કીધું છે "તેમ જો તમે તમારા વિશ્વાસમાં મક્કમ રહેશો તો આ બધામાંથી તમારી જાતને બચાવી લેશો. (લૂક 21:19)". ઈશ્વર આપણને તેની શન્તિ આપે છે "હું તમને શાંતિ આપીને જાઉં છું. હું તમને આપું છું તે મારી પોતાની શાંતિ છે. જગત આપે છે તેના કરતાં જુદી રીતે હું તમને શાંતિ આપીશ. તેથી તમારા હૃદયોને વ્યાકુળ થવા દેશો નહિ. ડરશો નહિ. (યોહાન 14:27)". આ શાંતિ આપણે પ્રાથર્ના દ્વારા મેળવી શકીયે છીએ. ઈશ્વર કહે છે કે "“તમારામાંના જે થાકી ગયા છે અને ભારે બોજ વહન કરી રહ્યા છે તેઓ મારી પાસે આવો. અને હું તમને વિસામો આપીશ. (માથ્થી 11:28)". અને જેવો તેની પાસે આવે છે તેને અંતકાલીન શાંતિ નો અનુભવ થાય છે. હે યહોવા, મારા મન અને હૃદય ચિંતા અને પરેશાનીથી ભરાઇ ગયા હતાં. પરંતુ તમે મને દિલાસો આપ્યો અને મને સુખી બનાવ્યો. (ગીતશાસ્ત્ર 94:19). આવો આપણો  તણાવ ઈશ્વર ને સોંપિયે નહીં કે ગાપણા કુટુંબ કે આપણી આજુબાજુ ના લોકો પર કાઢી ને એમને દુઃખી કરી એ.


Olivia Martins

Editor
 Purvi Hope

Reference for Bible
Niyati Walter Gilbert

 Reference Story
Chicken Soup for the Soul


Friday 29 March 2019

40 Lent Sessions

ઈગો 
આજે આપણે વાત કરીએ અભિમાન જેને આપણે  ઈગો તરીકે પણ ઓળખીયે છે. આપણા બધા માં રહેલો સૌથી મોટો શેતાન. ઈશ્વરે કીધું છે કે આપણે આપણા હ્ર્દયો નર્મ બનાવીએ. પરંતુ આપણામાં રહેલો આ શેતાન આપણને આમ કરવા નથી દેતો. અભિમાન ના તો આપણે પાછા પ્રકાર પડેલા છે. માણસનું અભિમાન, સ્ત્રીનું અભિમાન, રાજાનું અભિમાન વગેરે. અભિમાન મોટું કે લાગણી તે આપણે આ વાર્તા થી જોઈએ.
બે મિત્રો એક બીજા માટે ખુબ લાગણી સાથે જ નોકરી પણ કરે. વર્ષોથી સાથે નોકરી કરે એટલે એકબીજા માટે ખુબ લાગણી અને ઓધખે પણ સારી રીતે. એમની લાગણી જોઈને સાથે કાર્ય કરતા ઘણા લોકો ને ઈર્ષા થાય. આવા ઈર્ષાળુ લોકો એ તેમના કાન એકબીજા માટે ભરમાવાના ચાલુ કર્યા. હવે એકે ગુજરાતી કેહવત છે કે જો કોઈ કાચાકાંન  નું હોય તો જૂઠું 100 વાર બોલો તો એને જ સાચું માની લે. આ મિત્રોમાં પણ એવું જ થયું એક મિત્ર ધીરે ધીરે બીજા સાથે બોલવાનું ઓંછું કરવા લાગ્યો. એના થી દૂર રહેવા લાગ્યો. આવા સંજોગો માં નોકરી માં બઢતી ની વાત આવી. જે મિત્ર ને શંકા હતી તેની બઢતી ના થતા બીજા મિત્રની બઢતી થઇ. આ વાતે આગમાં ઘી હોમવાનું કાર્ય કર્યું. આ મિત્ર નારાજ થઇ ને નોકરી છોડી ને શહેર  છોડી ને બીજે જતો રહ્યો. બંને એ આ વાતને પોતાના ઈગો પર લઇ લીધી. એક બીજા સાથે વાત ના કરે, ના સંબધ રાખ્યો. આ બધું હોવા છતાં બન્ને માંથી કોઈ ખુશ નહતું. બંને એક બીજા ને યાદ કરે, પોતે દુઃખી થાય. પરંતુ કોઈ ને બતાવે નહિ. આમ ને આમ 3 વર્ષ પસાર થઇ ગયા. વિઘ્નસંતોષી લોકો તો પોતાનું કામ પાર પાડીને પોતાને રસ્તે થઇ ગયા. પરંતુ આ બન્ને એકલા થઇ ગયા. એમના જીવનમાં  એક બીજા નું સ્થાન કોઈ બીજા ને આપી શક્ય નહિ. 
સમય હંમેશા સમયનું કાર્ય કરે જ છે. આ દરમિયાન ઘણા હિતેછુઓ અને કુટુંબીજનો એ આમને માનવાના પ્રયત્ન કરી જોયા. પરંતુ ઈગો માં  તેવો  કોઈની વાત માનવા કે સાંભળવા તૈયાર જ નહતા. પરંતુ ઈશ્વર હમેશા આપણને બદલવાના મોકા આપે છે. ઈશ્વર કહે છે કે "એક બીજા સાથે હળીમળીને રહો અને શાંતિથી જીવો, અભિમાની બનશો નહિ. બીજા લોકોને મન જે માણસો અગત્યના ન હોય, તેવાની મિત્રતા કરવા તૈયાર રહો. મિથ્યાભિમાની ન બનો. (રોમનોને પત્ર 12:16)". શહેર છોડી ને ગયેલા મિત્રની બદલી પછી આ શહેરમાં થઇ. આને એક દિવસ બંને અકસ્માતે એક બીજા ની સામે આવીને ઉભા. એક બીજા ની આંખો મળતા લાગણી ઈગો ને મૂકી ને બહાર આવી. એકે બીજા ને કીધું ચાલ ચા પીયે. બને એ ચા ની ચુસ્કી માં એક બીજા ને સવાલ કર્યો કે સાથે ચા પીધે કેટલો સમય થયો ? અને બન્ને ની આખમાં આસું આવી ગયા એ આસું સાથજ હતો 3 વર્ષ 2 મહિના ને 15 દિવસ હિસાબ . આ આંસુમાં ઈગો વહી ગયો. બન્ને આજે એક બીજા ના પેહલા કરતા પણ ગાઢ મિત્રો બની ગયા છે. વિઘ્નસંતોષીયો એ પાછો પ્રયાસ કરી જોયો પણ હવે માત્ર લાગણી છે, વિશ્વાસ છે અને અનુભવ છે. અનુભવ છે એક બીજા વગર
ની એકલતાનો, દુઃખ નો, અધૂરપ નો. જે તેમના ઈગો ને ઉભો થવા નથી દેતો.
આપણા બધા ના જીવન માં કેટલાક સંબંધો આવા હશે જે આપણા માટે કહું મોટી મુડી હશે. તેમાં કયાંક મતભેદ પણ હશે.આ મતભેદ ને ઈગો માં પડી ને મનભેદ બનવું કે મતભેદ રહેવા દેવું એ આપણા પર છે. હવે ઈગો મોટો કરવો કે લાગણી એ આપણા પર છે. બાઇબલમાં કીધું છે કે "અભિમાનનું પરિણામ નાશ છે, અને પતનની પહેલાં ગવિર્ષ્ઠ સ્વભાવ આવે છે. (નીતિવચનો 16:18)". વળી "અહંકાર આવે એટલે અપમાન આવ્યું જ જાણવું; પણ નમ્રતા જ્યાં હોય ત્યાં જ્ઞાન હોય છે. (નીતિવચનો 11:2)".ઈશ્વર તો હ્ર્દય નર્મ રાખવાનું કહે છે. પરંતુ આપણે ઈગો મોટો કરીયે છીએ. એઓંગ પોતાની સાથે એના મિત્રો એટલે, ગુસ્સો, નફરત અને એકલતા ને લાવે છે. પ્રેમ થી મોટી કોઈ દવા નથી. પરંતુ ઈગો આપણને એ દવા સુધી પોહ્ચવા જ નથી દેતું. આવો આપણા જીવન માં લાગણી ને સ્થાન આપીયે ઈગો ને નહિ. 
Purvi Hope

Editor
Olivia Martins

Reference for Bible
Niyati Walter Gilbert

 Reference for Images
Google Images

Thursday 28 March 2019

40 Lent Sessions

 ઘર 
ગઈ કાલે મને એક લ્હાવો મળ્યો, ટ્રેનમાં મુસાફરી કરવાનો. મારા જેવા લોકોને ટ્રેનમાં મુસાફરી કરવાનો એક લ્હાવો જ છે. કેમકે બહુ બધા લોકો આવતા જતા રહે. બહુ વાતો જાણવા જોવા મળે. મારી એક આદત છે. હું બહુ બોલું નહિ પણ ચોપડી માં વાંચતા વાંચતા આજુબાજુના લોકોને પણ વાંચું. ચુપચાપ એમનું નિરીક્ષણ કરું. એમની વાતો ધ્યાનથી સાંભળું. એમ કરતા મને તમારી સાથે વાત કરવા માટે વિષય પણ મળી જાય છે, અને કયારેક ઘણું જ્ઞાન પણ. કાલે મારી બાજુમાં એક આંટી બેઠા હતા. તેવો મોબાઇલ પર કોઈની સાથે વાત કરતા હતા. તેમની વાત મને ઘણી બધીરીતે તમારી સાથે વહેચવાનું મન થાય એવી છે.
આ આંટી ને એક દીકરો છે જે વિદેશમાં સેટ છે. તેમણે થોડા સમય પેહલા જ દીકરાના લગ્ન કરાવ્યા હતા. દીકરો લગ્ન કરી ને વિદેશ જતો રહ્યો છે. પરંતુ તેમની પુત્રવધુ અહીં જ છે. આ પુત્રવધુ સાસુ સસરા સાથે ન રહેતા કોઈ ને કોઈ કારણસર તેના માતા પિતાના ઘરે રહેવા નું પસંદ કરે છે. જો એ તેમની સાથે રહેવા આવે તો બીમાર હોવાનું જણાવી તેની રૂમમાંથી બહાર નથી આવતી. સસરા તો આખો   દિવસ કામ થી બહાર હોવાથી વધુ અસર નથી થતી. પરંતુ આ આંટી ફોન પર થાય છે. આંટી સામે વાળા ને પોતાની આપવીતી કહી રહ્યા હતા.  તેવો કાલે પણ પોતાની પુત્રવધૂને તેના માતાપિતાના ઘરે મૂકી ને પાંચ જઈ રહ્યા હતા, એ દુઃખી હતા.
આ વિષે પાળક સાહેબ આ રવિવારે પૂલપીટ પરથી પણ બોલ્યા હતા. તે એ કે આપણે હવે નાઉમી અને રૂથ ને ભૂલવા લાગ્યા છે.  આજની સાસુને રૂથ જેવી પુત્રવધુ જોયે છે પરંતુ નાઉમી નથી બનવું, અને પુત્રવધૂને નાઉમી જેવી સાસુ જોયે છે પણ રૂથ નથી બનવું. નાઉમી પોતાના પતિ અને પુત્રોના મરણ પછી પણ પોતાની પુત્રવધુઓ ને દીકરીની તરીકે જ રાખતી. રૂથ 1:8-9"રસ્તામાં તેણે પોતાની પુત્રવધૂઓને કહ્યું કે તેઓ તેમના વતન મોઆબ પાછા ફરે, તેણે તેમ કહ્યું; “મારી દીકરીઓ! તમે ઘરે પાછી જાઓ. તમે માંરી તથા માંરા મૃત પુત્રો પર ખૂબ દયા રાખી છે. યહોવા પણ તમાંરા પર એવી જ દયા રાખો. 9 હું પ્રાર્થના કરું છું કે યહોવા તમને વર મેળવવા અને તેની સાથે સુખી જીવન ગાળવા માંટે મદદ કરે.” પછી તેણીએ પુત્રવધુઓને ચુંબન કર્યું, અને તેઓ રડવા લાગી.". નાઉમી પોતાના પુત્રવધૂઓ ને મારી દીકરી તરીકે સંબોધે છે. તે તેમને એટલો પ્રેમ કરે છે કે તેની પુત્રવધુ પણ તેને છોડી ને જવા તૈયાર નથી થતી. રૂથ 1:16-17 "પરંતુ રૂથે જવાબ આપ્યો, “મારી મા! મને તમાંરાથી વિખૂટી પાડવાનો આગ્રહ કરશો નહિ. તમે જયાં જશો ત્યાં હું જઈશ. અને તમે રહેશો ત્યાંજ હું રહીશ. તમાંરા લોકો એ માંરા લોકો અને તમાંરા દેવ એ માંરા દેવ થશે.  17 તમે જયાં મરણ પામશો ત્યાં જ હું પણ મરીશ ને ત્યાં જ દટાઈશ. મૃત્યુ સિવાય બીજા કશાથી જો હું તમાંરાથી વિખૂટી પડું તો યહોવા મને એથી પણ વધારે દુ:ખ દે.”. રૂથ પણ પોતાની સાસુને મારી મા નું સંબોધન કરે છે.
આપણે આ બધું ભૂલી ચુક્યા છીએ. આપણને ટીવી સિરિયલની કપટી સાસુ અને વહુ આપણા ઘરો માં દેખાવા લાગી છે. આપણે હવે ચેતી જવાનો સમય છે. જેમ આમારા પાળક સાહેબે કીધું હતું તેમ "માતા પોતાના દીકરાની જેટલી કાળજી લેછે તેના 15% કાળજી પણ પોતાની પુત્રવધુ ની નથી લેતી, સામે પુત્રવધુ પોતાના માતાપિતાની જે કાળજી લેછે તેના 15% સાસુ સસરાની નથી લેતી.". સંબંધ સામસામે હોય. તાળી  કયારેય હવામાં એક હાથે ના પડે. આ સત્ય જેટલું જલ્દી આપણે સમજી શકીયે અને રૂથ અને નાઉમી બંને ને આપણા ઘરો માં જગ્યા આપી શકીયે તો  જ ઘર ઘર બનશે, નહીતો મકાન તો આખી પૃથ્વી  પર મળી જ રહે છે.

 Purvi Hope

Editor
Olivia Martins

Reference for Bible
Niyati Walter Gilbert

Wednesday 27 March 2019

40 Lent Sessions

 પિતા નો પ્રેમ 
આજે આપણે જીવન જીવવા માટે અને તેને સરળ રીતે પસાર કરવા માટેના નિયમ માટેની વાત જણાવું છું. આ એક બાપ અને દીકરી ની વાત છે, પિતાજી ટ્રક ડ્રાઇવર હતા. લગભગ તેમનો સમય રસ્તા પર પસાર થતો હતો. એ સમયે દીકરી નાની હતી,  પિતાની ઘણી લાડકી હતી. પિતાજી 4:00 ઘરેથી નીકળી જતા અને રાત્રે લગભગ દીકરીના સૂઈ ગયા બાદ ઘરમાં આવતા હતા. બાપ દીકરીનું એકબીજા સાથે મળવું લગભગ અશક્ય હતું છતાં પણ દીકરીને મન તે પિતાજીની લાડકી દીકરી હતી. સમય પસાર થતાં દીકરી મોટી થવા લાગી અને કિશોરાવસ્થામાં આવી. તેનામાં ઘણા બધા બદલાવ આવ્યા. હવે તે પિતાની લાડકી દીકરી રહી નથી હવે તે મોટી થઈ ગઈ. તેની સમજણ અવસ્થામાં તેને દરરોજ દરેક જરૂરિયાત વખતે તેની માતા તેની સાથે હતી તે તેની માતા સાથે દરેક વાત બાબતે ચર્ચા કરતી હતી. તેને લાગતું હતું કે મારી ખરી સાથીદાર મારી મમ્મી જ છે મારા પિતા તેમના કામમાં મને સમય  આપી શકતા નથી એટલે તેની અને તેના પિતા વચ્ચે અંતર વધવા લાગ્યું. આજ સમયમાં એને જીવનનો મહત્વનો પાઠ તેના પિતા દ્વારા શીખવા મળ્યો.

 વાત એમ હતી કે એક દિવસ સાંજે તેના પિતા ટ્રક નો સામાન પોતાના સ્થળે ઉતારીને પાછા આવતા હતા, ત્યારે લગભગ બપોરે હાઇવે ઉપર તેમણે એક સ્ત્રીને તેની કારની ડિકીમાં થી સ્પેર વ્હીલ કાઢતા જોઈ. તેમણે પોતાની ટ્રક બાજુ પર ઉભી રાખી અને તે સ્ત્રી તરફ ગયા.તેમણે પોતાની ઓળખાણ આપી ને કહ્યું કે "લાવો હું તમને વ્હીલ બદલી આપું".  વ્હીલ બદલી કાઢ્યા પછી તે સ્ત્રીએ તે ટ્રક ડ્રાઇવર ની ઉદારતા માટે આભાર માન્યો. કહ્યું કે "કોણ સાચું છે અને ખોટું?  અથવા ખોટા ગુનામાં ફસાઈ જવાના ડરથી આજકાલ લોકો મદદ કરવા પણ તૈયાર  હોતા નથી." તે સ્ત્રીએ ટ્રક ડ્રાઈવર નો આભાર માન્યો, અને વીસ ડોલર તેમની મદદ માટે આપવા પ્રયત્ન કર્યો. પરંતુ તે ટ્રક ડ્રાઇવરે કહ્યું કે આની  કોઈ જરૂરત નથી. મારી પત્ની અને દીકરી  જેવો મારી ગેરહાજરીમાં આજ રીતે કાર ચલાવે છે. ત્યારે મારી આશા છે કે જેમ તમને મદદ કરી, તેમ તેમને પણ મદદ મળી રહે.".
દીકરી જ્યારે 24 વર્ષની થઈ ત્યારે તે માતા-પિતાથી દૂર બીજા બીજા શહેર ન્યુજર્સીમાં રહેવા ગઈ. ત્યાં તે નૈતિક હકો માટે લડતી સંસ્થા માં વોલેન્ટર્સ તરીકે સેવા આપતી હતી. તેની આ સેવામાં લગભગ તેને મુસાફરી કરવાનું રહેતું. એક વખત તેના જાણવા પ્રમાણે સેવ મધર અર્થ વૉક  તેમના શહેરમાં થઈ રહી છે. તેમાં ભાગ લેવા માટે તેણે રૂમ પાર્ટનરની કાર લીધી અને તે હાઇવે પર થી પસાર થવા લાગી. રસ્તામાં તેની કારના વ્હીલ માં પંચર પડ્યું. તે કાર ઉભી રાખી અને વ્હીલ બદલવાની તૈયારી કરવા લાગી.  તેટલામાં જ એક મોટી ટ્રક આવી અને રસ્તામાં બાજુ પર ઊભી રહી ગઈ. તેનો ડ્રાઇવર નીચે ઊતર્યો અને તેણે તે દીકરીના કારનુ ટાયર બદલી આપ્યું. સ્પેર વ્હીલ પણ લગાવી આપ્યું. તે ટ્રક ડ્રાઈવરે કહ્યું"આ સ્પેર વ્હીલ વધુ ચાલશે નહીં માટે નજીકના ગેરેજમાં જઈને નવું વ્હીલ લગાવી દેજો.".  તે દીકરીએ તેની ઉદારતા માટે આભાર માન્યો અને ૨૦ ડોલર તેમને આપવા પ્રયત્ન કર્યો.પરંતુ ટ્રક ડ્રાઇવરે કહ્યું"મારી દીકરી તમારી ઉંમરની છે. હું એવી ઇચ્છા રાખું છું, કે જ્યારે રસ્તા પર કાર ચલાવતી વખતે તેને કોઈ આવી મુશ્કેલી પડે ત્યારે કોઈ આવું જ દયાળુ તેને મદદ કરે.". આ દીકરીને તેના પિતા યાદ આવ્યા જેમણે આ વાત ઘણા વર્ષો પૂર્વે તેને કહી  હતી. તેના પિતાએ  કોઈક ને કરેલી મદદ નો બદલો આજે તેને કોઈક ના પિતા દ્વારા મળ્યો. તે ટ્રક ડ્રાઇવરે કહ્યું તમારા પિતા એક ઉમદા વ્યક્તિ છે. તેઓ માર્ગમાં મદદરૂપ બનવા હંમેશા તૈયાર રહેતા માટે ઈશ્વરનો આભાર.

આપણે પણ રસ્તામાં ચાલતાં ઘણા બધા લોકોને ઘણી બધી મુશ્કેલીઓ માંથી પસાર થતાં જોઈએ છીએ. આવા સંજોગોમાં આપણે ઈશ્વરના બાળક તરીકે હંમેશા મદદરૂપ થવું જોઈએ.  આપણે કોઈકને કરેલી મદદ ક્યારેક આપણે પણ જરૂરિયાત બની શકે છે, તે સંજોગોમાં આપણને પણ ઈશ્વર તરફથી મદદ પ્રાપ્ત થઈ શકે છે. બાઇબલમાં કહ્યું છેકે "દેવે તમને પસંદ કર્યા છે અને તમને તેના પવિત્ર લોકો બનાવ્યા છે. તે તમને પ્રેમ કરે છે. તેથી હમેશા આ વસ્તુઓ કરો: ધૈર્યવાન ને દયાવાન બનો, ભલાઈ કરો, દીન, નમ્ર, સહનશીલ બનો. ". (કલોસ્સીઓને પત્ર 3:12). વળી આપણે બીજા પાસે જે વ્યવહારની અપેક્ષા રાખતા હોઈએ તે આપણે બીજા સાથે કરવો પણ જોઈએ જ બાઇબલ માં કહ્યું છે કે “તમે બીજા પાસે જેવા વ્યવહારની અપેક્ષા રાખતા હોય એવો જ વ્યવહાર તમે તેઓની સાથે રાખો. મૂસાના નિયમશાસ્ત્ર અને પ્રબોધકોની વાતોનો સારાંશ એ જ છે. "(માથ્થી 7:12). વળી આજની ભગદોડ ભરેલા  જીવનમાં બનીશકે કે પિતા કે માતા પોતાના બાળકને જોઈએ તેવો સમયના આપી શકતા હોય. પરંતુ જે પણ સમય મળે તે બાળકના ઘડતરમાં મદદરૂપ બને તે માટે બાળક સાથે નું તથા બીજા સાથેનું તેમનું વર્તન ખુબ ભંગ ભજવે છે. પિતા કામ થી બહાર રહે પણ જયારે ઘરે આવે ત્યારે ઘરનું વાતાવરણ પ્રેમ અને વિશ્વાશ થી ભરી દે તો બાળકના જીવનમાં તેની હકરાત્મક આસર જોવાય છે.  એફેસીઓને પત્ર 6:4 માં કહેવાયું છે કે "પિતાઓ, તમારા બાળકો સાથે એવી રીતે ના વર્તો કે તેઓ ગુસ્સે થાય, તેને બદલે તેઓને સારી તાલીમ અને પ્રભુના શિક્ષણથી ઉછેરો."

Olivia Martins

Editor
Purvi Hope

Reference for Bible
Niyati Walter Gilbert

 Reference Story
Chicken Soup for the Soul

 Reference for Images


Tuesday 26 March 2019

40 Lent Sessions

અજાણ્યો માણસ 
કેટલીક વાર એવું થાય છેકે કોઈ આપણી પાસે  મદદ માંગે તો આપણે એની પત્રતા વિષે વિચારવા લાગીયે છીએ. આપણે જાણીએ છીએ કે ઈશ્વરે કીધું છે કે પાત્રતા જોવાનું કામ તારું નથી, તું મદદ કર. છતાં આપણે વિચારીયે છીએ કે આને મદદ થાય આને ના થાય. પરંતુ કયારેક ઈશ્વર આપણી પાસે અપેક્ષા રાખે છે, અને સામે થી મદદ માંગનાર ને મોકલે પણ છે. થોડું અટપટું છે પણ આ વાત થી સમજીયે.
એક ભાઈ મ્યુનિસિપલ કોર્પોરેશન માં માપણી આધિકારી ફરજ બજાવતા હતા. એમણે અને એમની પત્ની એ નક્કી કર્યું હતું કે આપણી પાસે મદદ માંગવા આવનાર ને આપણે યથા શક્તિ મદદ કરીશું. એક વાર માપણી ના કામ અર્થે આ માપણી અધિકારી ભાઈને એક મજુર વિસ્તારમાં જવાનું થયું. સાંજે એમનું કામ પૂરું થયા પછી તેવો એમને લેવા માટે આવતી ગાડી ની રાહ જોતા આજુબાજુ નું નિરીક્ષણ કરતા ઉભા હતા. તેવા માં એક મજદૂર ભાઈ બાજુની બાંધકામ ચાલુ એવી જગ્યાએ થી નીકળ્યા. તેવો આ માપણી અધિકારી ની બાજુમાં આવી ને ઉભા રહ્યા. મજુર ભાઈ ખુબ ટેંશોન માં લગતા હતા. આથી માપણી અધિકારીએ    પૂછ્યું "કોઈ પ્રોબ્લેમ છે? જો તમે મને કહી શકતા હોવ તો કહો.". આ મજુર ભાઈએ કહ્યું " હું બાજુ ના ગામમાંથી અહીં આવ્યો છું, મારી પત્નીને નાની બાળકી અહીં બાજુ ની ધર્મશાળામાં છે. હું અહીં મજૂરી કરું છું. કાલે ધર્મશાળાના મેનેજરે મને કીધું હતું કે આજે સાંજ શુધી  હું ભાડું નહિ આપું તો મારે રૂમ ખાલી કરી દેવી પડશે. આજે હું સવાર થી અહીં મારા મુકાદમની રાહ જોવ છું પણ મુકાદમ આવ્યા જ નથી. મારે પૈસા લેવાના છે. શું કરું? કાંઈજ ખબર નથી પડતી.". પેહલા તો માપણી અધિકારી ભાઈ ને થયું કે હું પૈસા આપું, પણ પછી તેમને વિચાર આવ્યો કે આ માણસ સાચું જ બોલે છે એની શી ખાતરી? આ વિસ્તારમાં તો આવા કેટલાય લોકો ફરતા હશે. આમ એમણે પોતાની જાતને સમજવા માડી  પેલા મજુરભાઈ ત્યાં થી ચાલ્યા ગયા. 
આ માપણી અધિકારી ને એકદમ થી નિરાશા ની લાગણી થવા લાગી. એમને લેવા જે ગાડી આવી તે લઇ ને તેવો પેલા મજદૂર ભાઈને શોધવા લાગ્યા. ખુબ ફર્યા છતાં ના તો ધર્મશાળા મળી કે ના  ભાઈ. એમનું મન એક બાજુ એમને કેવા લાગ્યું કે જોયું ઉલ્લુ જ બનાવતો હતો એ માણસ. પરંતુ એવી પરિસ્થિતિ માં તેમને પ્રાથર્ના કરી કે હે ઈશ્વર તું સાચે જ ઇછતો હોય કે હું એ ભાઈ ને મદદ કરું તો તું મને એમને દેખાડ. બીજા જ વણાંક પર એ ભાઈ ઉભેલા દેખાય. માપણી અધિકારી એ એમને બોલાવી ને ગાડી માં બેસાડ્યા અને કહ્યું કે ચાલો આપણે તમારી ધર્મશાળામાં જઈએ. મજદૂર ભાઈ ના બતાવેલા રસ્તે આગળ જતા ધર્મશાળા પણ દેખાઈ જાય એક નાની બાળકી અને તેની માતા આ મજદૂર ભાઈની રાહ જોઈ રહ્યા હતા. માપણી અધિકારીએ પોતાના ગજવામાં હતા એટલા રૂપિયા આ કુટુંબને આપી દીધા. મજદૂર ભાઈ ની આંખો માં આશુ આવી ગયા. તેમણે જણાવ્યું કે એટલા માં મારુ એક અઠવાડિયાનું ભાડું અને રેશન આવી જશે. માપણી અધિકારી ઈશ્વરની આ અદભુત કમાલ ને જોઈ ને વિચરતા રહ્યા કે ઈશ્વર કયારે કોને કેવી રીતે મેળવે છે તે કોઈ નથી જાણતું. એના કાર્ય અદભુત છે.
બાઇબલમાં કીધું છે કે “વળી તેને જેની જરૂર હોય તે તમાંરે તેને ઉછીનું આપવું અને તે માંટે દુ:ખી થવું નહિ! કારણ કે, આના લીધે તમે જે કરશો તેમાં યહોવા તમને તમાંરાં બધાં કાર્યોમાં લાભ આપશે. (પુનર્નિયમ 15:10)".

 Purvi Hope

Editor
Olivia Martins

Reference for Bible
Niyati Walter Gilbert

 Reference Story
Chicken Soup for the Soul

 Reference for Images
WomenWorking.com

Monday 25 March 2019

40 Lent Sessions

એક વ્યક્તિ માટે ટેબલ 
આજે વાત મારા માટે. હું સિંગલ છું અને ખુશ છું. છતાં સામાજિક પ્રસંગોમાં કોઈક તો એવું મળી જ જાય છે જે મને પૂછે કે તું એકલી કેમ છે? કે તારે કંઈક વિચારવું જોઈએ. હું કેમ એકલી છું  એનું મને કારણ પુછે. મારા ભત્રીજા ના લગ્ન સમય નો એક ખુબ હાસ્યાસ્પદ અનુભવ કહું તો "મારા એક આંટી જેમની ખુદની મારા કરતા મોટી દીકરી સિંગલ છે, તેમણે મને સલાહ આપવાની શરું કરી. તું એકલી કેમ છે? અને બીજું... મેં હસી ને એમને કીધું કે "તમારી દીકરીને આ બધું તમે જણાવ્યું?"" ત્યારે એ આંટી ચૂપ થઇ ને ચાલ્યા ગયા. મારા કહેવાનો મતલબ એટલો જ કે કોઈ એકલું છે એટલે દુઃખી જ છે એવું લોકો કેમ માની લે છે? ચાલો આજની વાત મારા જેવી જ એક બહેનની કરીયે.
એક બહેન ભણેલા ગણેલા ખુબ સારી નોકરી કરતા, પોતાનું ઘર, ગાડી વાળા અને સૌથી મોટી વાત ખુબ ખુશ. પણ જયારે સામાજિક પ્રસંગમાં જાય એટલે આંટીસ અને ઘણા સગાઓ પાછળ પડી જાય કે તારા જીવનમાં સાચે જ કોઈ નથી? નથી તો કેમ નથી? કોઈને શોધ. વગેરે... એમને આવા પ્રસંગોમાં બેસવા માટે ખાસ એવુજ ટેબલ આપવામાં આવે કે જાય 2, 4, કે 6 જ માણસ બેસી શકે. આ બહેન ને કોઈ ખુરશી ખેંચીને ટેબલપર પોતે બેસવાની વેવસ્થા કરવી પડે. લોકો પાછા કહે કે જોયું એકલી છે તો ખુરશીની વેવસ્થા ય  કરવી પડે છે ને! બહેન ગુસ્સે પણ થાય ને કંટાળે.
એક નાતાલે એમની એક બીજી સિંગલ સખીએ કહ્યું કે ચાલ આ વર્ષે આપણે કૈક જુદું કરીયે. આપણે વૃધ્ધાશ્રમ  માં જઇયે અને એ લોકો સાથે જમીયે ને નાતાલ ઉજવીયે. આ બહેને પહેલા ના ના કરી. થોડા આડાતેડા કારણો આપ્યા, પણ પછી માની ગયા. આ બન્ને સખીઓ જમવાનું લઇ ને પાસે ના વૃધ્ધાશ્રમ માં ગયા. થોડીવાર માં બહેને અતડું લાગ્યું, પણ પછી મઝા આવી. અહીં એમના જેવા એકલા ઘણા હતા, કોઈ પૂછવા વાળું નહતું કે તું  કે તને કેમ કોઈ મળતું નથી વગેરે. બંને બહેનો ને ખુબ મઝા આવી. તયાંના આશ્રમવાસી ને પણ બહુ મઝા આવી.  પછી તો આ દર વર્ષનું થઇ ગયું. 
એ બહેન હવે આવા કામ શોધવા લાગ્યા. તેવો સાક્ષરતા કર્યક્રમ માં ભગીદાર થઇ ગયા. તેવો કહે છે કે ઘરે બેસી ને સાંજે ટીવી જોવું કે ફોન પાર લોકો સાથે વાતો કરવી એના કરતા આ કામ મને વધારે આંનદ આપે છે. અહીં મારા માટે એક ટેબલ છે. મારે ખુરશી ખેંચવી નથી પડતી. બીજાને મદદરૂપ થવા થી મારી અંદરનો અવકાશ ભરાઈ ગયો છે. આ અવકાશ મને  ઘણી વાર હેરાન કરતો હતો. હવે મારે પરાણે હસવું નથી પડતું, જે હું સામાજિક પ્રસંગે કરતી હતી. મને હવે એ અનુભવ થાય છે કે હું સિંગલ છું એની પાછળ પણ એક કારણ છે. જીવનમાં એવો પણ ઓરડો છે જાય એક ટેબલ છે જેમાં એક જ ખુરશી, જેમાં હું એક એકલી આરામ થી બેસી શકું છું. હવે જીવન ભરેલું લાગે છે. 
મિત્રો ઈશ્વરે પણ કીધું છે કે એકલા રહેવું એ પાપ નથી તે આપણે કેમ સ્વીકારતા નથી?  બાઇબલમાં પણ કીધું જ છે કે "તમે ચિંતામાથી મુક્ત થાવ તેવું હું ઈચ્છું છું. જે માણસ વિવાહિત નથી તે પ્રભુના કાર્યમાં વ્યસ્ત છે. તે પ્રભુને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરી રહ્યો છે." (1 કરિંથીઓને 7:32).  વળી પુનરુથાન ની સવારે તો આપણે દૂતો જેવા જ હોઈશું "જ્યારે લોકો મૂએલામાંથી ઊઠશે ત્યારે ત્યાં એકબીજા સાથે લગ્ન કરશે નહિ. તેઓ આકાશમાંના દૂતો જેવા હશે.’ (માર્ક 12:25)". દરેક વ્યક્તિની જીવનની યોજનાઓ ઈશ્વરની જ છે, અને દરેક માટે એ યોજના આલગ છે. આપણે આ વાત સમજવાની છે.

Purvi Hope

Editor
Olivia Martins

Reference for Bible
Niyati Walter Gilbert

 Reference Story
Chicken Soup for the Soul

 Reference for Images
Google Images
 

Sunday 24 March 2019

40 Lent Sessions

કલર્ક બહેન
આજે ચર્ચમાં પાળક સાહેબે આપણી ઘટી રહેલી સહનશક્તિ અને સાંકડા થઈ રહેલા સંબધની વાત કરી. ઘરે આવી ને આ લખવા માટે તૈયારી કરતા આ વાત મારી નજરે પડી. આજે અપને માત્ર આપણી તકલીફ, આપણા દુઃખો મોટા લાગે છે. બીજા નું જોઈને સમજ્યા વગરજ આપણને આપણું દુઃખ મોટું લાગવા લાગે છે. પરંતુ સાચું શું છે ? એ કેમ ખુશ છે ? એ વિચારવાની તસ્દી આપણે લેતા નથી.કયારેક એવું પણ બને કે એ વ્યક્તિ આપણા કરતા વધારે તકલીફો ઉઠાવી રહી હોય. પરંતુ એ એ તકલીફ માં પણ ઈશ્વરની સહાય શોધી ને ખુશ રહેતી હોય. આપણે તો બસ એ ખુશ છે એટલે મારા કરતા ઓછી તકલીફ હશે. એમજ માની ઈશ્વરને દોષ આપી દેતા હોય છીએ.
આજે આપણે એવાજ એક ભાઈ ની વાત કરીયે. આ ભાઈ એક બપોરના સમાચાર પત્રમાં ઍડીટર હતા. એમના પપેરની કોપી ઘટતા એમના પ્રકાશને બપોર નું પેપર બંધ કરવા નું માન્ય રાખ્યું. એમાં આ ભાઈનું પણ નામ હતું. વળી તેમને તેમના બીજા સ્ટાફને આ દુઃખદ વાત કહેવાનું પણ કાર્ય સોંપવામાં આવ્યું. ભાઈ ખુબ દુઃખી થઇ ગયા. એમના ટેબલ પાર હર શુક્રવારની જેમ જ ચા સાથે એક નાની થાળી માં નાનખટાઈ આવી ગઈ. આમ તો આ હાર શુક્રવારે આવતું હતું પણ કામ માં એમનું ધ્યાન નહતું.આમણે પૂછ્યું કે આ કોણ લાવ્યું? તો જવાબ મળ્યો કે આ તો દર શુક્રવારે કોઈક લાવી ને મૂકી જાય છે. એ વિચારવા લાગ્યા કે હશે કોઈ જેની નોકરી કાયમ હશે. મારા જેવા તો હવે નોકરી વગરના થોડી એવું લાવે. તે પોતાની જાત પાર દયા ખાવા લાગ્યા. અરેરે મારુ હવે શું થશે? મારા ઘર નું શું થશે? હે ઈશ્વર હું જ કેમ? એવા વિચારો માં ઘરે ગયા.
બહાર નીકળતા એમને લિફ્ટમાં એક ક્લાર્ક બહેન માંડ્યા. તેમના હાથ પર ના નખ માં લોટ હતો. આ જોઈ ને તેમણે અનુમાન કર્યું કે નાનખટાઈ આ બહેન જ લાવતા હશે. આમણે તે વિષે પૂછી લીધું અને આભાર માન્યો. સાથે આ ભાઈ એ જોયું કે બહેન બૌ ખુશ હતા. આખા રસ્તે ભાઈ વિચારતા રહ્યા કે હોય જ ને નોકરી મારી ગઈ છે. નુકસાન મારુ થયું છે. એ બહેન નું થોડું કઈ ગયું છે?
બીજા દિવસ થી એમની નવો કર્યભાર સાંભળ્યો. એમની નીચે ના લોકો ને નોકરી ના કાર્ય નો હિસાબ કરી ને છુટ્ટા કરવાનો. હજુ પણ ભાઈ પોતાના જ દુઃખ માં હતા કે મારુ શું થશે? ત્યારે એમના ટેબલ પાર નાનખટાઈ ની ડીશ આવી ગઈ હતી. એમને દુઃખ પણ થયું ને ગુસ્સો પણ આવ્યો કે પેલા બહેને મારી મજાક ઉડાડી. પરંતુ સાંજે છેલ્લે જયારે એમણે જોયું કે છેલ્લું નામ પેલા નાનખટાઈ વાળા બહેનનું હતું. એ બહેન ને હાથ માં વા હતો એટલે હવે તેવો પ્રકાશનમાં વધુ કામ કરી શકે તેવી સ્થિતિ માં નહતા. આ ભાઈ સ્તબ્ધ થઇ ગયા. પેલા બહેન હજુ પણ એમની સામે બેસી ને સ્મિત કરી રહ્યા હતા. આ ભાઈને પોતાના પર ગુસ્સો અવવ્યો, પોતાના પર શરમ પણ આવી. આજે આખા દિવસ માં એમણે એવા કેટલા કર્મચારીઓ ને છુટ્ટા કર્યા હતા જેમને નોકરી ની જરૂર આ ભાઈ કરતા ઘણી વધુ હતી. પણ પોતે પોતાના માં એટલા બધા ખોવાયેલા હતા કે કોઈ ને સાન્ત્વના નો એક શબ્દ પણ ના કીધો. અને આ બહેન ને તો કાલની ખબર હતી છતાં બધાના માટે નાનખટાઈ બનાવી ને છેલ્લી વાર આખી ઓફિસ ને વહેંચી હતી. બધાને પ્રેમ થી વિદાઈ આપી હતી ને પોતે પણ જય રહ્યા હતા.આ આખી ઓફિસ માં આ બહેન ના જવાનું દુઃખ હતું.
પોતાના થી નાની વ્યક્તિ પોતાના થી વધુ દુઃખી હોવા છતાં પ્રેમ અને વિશ્વાસ વેહચી રહી હતી. અને પોતે મોટી લાયકાત, મોટી જગ્યા અને બીજે નોકરી મેળવવી શેકે તેવા હતા. છતાંપોતાના દુઃખ માં જ લિન હતા. દોસ્તો આજે બધે જ એવું જ જોવા મળી રહ્યું છે. બધાને પોતાનું દુઃખ જ મોટું લાગે છે. બીજાનો વિચાર કરવા કોઈ તૈયાર નથી. આપણી આજુ બાજુ કેટલા કુટુંબો, સંબન્ધો આમ જ તૂટી રહ્યા છે. જીવન કટુતા થી ભરાઈ રહ્યું છે. આપણે સ્વ કેન્દ્રિત બનતા જઇયે છીએ કી બની ચુક્યા છીએ. આપણે વિચારવાની કે સમજવાની જરૂર છે. આપણે બાઇબલ ની જરૂર છે.
બાઇબલમાં કીધું છે કે "બીજા લોકોને આપો એટલે તમને મળશે. તમે તમારા હાથમાં પકડો તેના કરતાં પણ વધુ મેળવા શકશો. તમને એટલું બધું આપવામાં આવશે જેથી તમારો ખોળો પણ ઊભરાઇ જશે. કારણ કે તમે જે રીતે બીજા લોકોને આપો છો તે જ રીતે દેવ તમને આપશે.” (લૂક 6:38). વળી "તમે દરેક પોતાના હિત પર જ નહિ, પણ બીજાઓના હિત પર પણ લક્ષ રાખો." (ફિલિપ્પીઓને પત્ર 2:4).
નાની વ્યક્તિ જે સમજી તે "તમે જે કહો અને કરો તે સર્વ પ્રભુ ઈસુના નામે થવા દો. અને તમારા આ દરેક કાર્યોમાં, દેવ બાપની આભારસ્તુતિ ઈસુ દ્વારા વ્યક્ત કરો." (કલોસ્સીઓને પત્ર 3:17), અને "દેવ તને પસંદ કરે છે એવી પાત્રતા મેળવવા તું સર્વોત્તમ કાર્યો કર, અને તું દેવને પૂર્ણ સમર્પિત થઈ જા. પોતાના કામની બાબતમાં જે શરમ અનુભવતો નથી એવો કાર્યકર તું થા-કે જે કાર્યકર સાચા ઉપદેશનો યોગ્ય રીતે ઉપયોગ કરે છે. "(2 તિમોથીને 2:15). એ પોતાને સોંપાયેલું કાર્ય ગમેતેવી સ્થિતિમાં પણ હસતા પૂરું કરે છે.  જે પોતાના દુઃખને નાનું ગણી ને પોતાના હુનર અને હાસ્યથી બીજા નું દુઃખ હળવું કરવાની કોશિશ કરે છે તેને ધન્ય છે. 
મિત્રો વિચારો કે આપણા પ્રભુ જો સ્વ કેન્દ્રિત હોતે તો આપણે ક્યાં હોતે? આપણે એમના જ દીકરા દીકરીઓ થઇ ને આપણે ક્યાં રસ્તે જય રહ્યા છીએ?
Purvi Hope


Editor
Olivia Martins

Reference for Bible
Niyati Walter Gilbert

 Reference Story
Chicken Soup for the Soul

 Reference for Images
Shutterstock

Saturday 23 March 2019

40 Lent Sessions

નાનકડી ડાયરી 
આપણી આજુબાજુ માં ઘણા લોકો હોય છે જેમના વિષે આપણે ઘણી વાતો સાંભળીએ છીએ. ઘણી વખત એ વાતો સાચી છે કે ખોટી એ જાણ્યા વગર આપણે તેમના માટે એક પૂર્વગ્રહ બાંધી લઈએ છીએ. જે ખોટો હોય છે. 99.9% આવી વાતો ક્યાં તો અફવા હોય છે ક્યાં તો અધૂરી. આજના યુગમાં સોસિયલમીડિયા માં આવતી ઘણી વાતો આપણા માંથી ઘણા તેની પુરી ચકાશણી  કાર્ય વગર ફેલાવે છે અને પોતે પણ ટેન્શનમાં આવી જાય છે, અને બીજા ને પણ ઘભરાવાનું કાર્ય કરતા હોય છે. કોઈ પણ વાત ની પુરી ખાતરી કર્યા વગર એને સાચી માની લેવું એ એક ભૂલ છે.
આવો આજે આવી જ એક વાત કરીયે. અમેરિકાના એક ચૂર્ચમાં અંતિમવિધિ કરવા માટેની ટીમના એક મેનેજર દાદા હતા. આ દાદા પાસે એક નાની કાળી ડાયરી હંમેશા રહે. એ ડાયરીને એ જીવની જેમ સાચવે. જોડે ને જોડે રાખે. એ ચર્ચમાં એક નવા પાળક આવ્યા. તેમને પણ આ ડાયરી માટે ઉત્સુકતા થઇ. પાળક ઓફિસમાં તો આ ડાયરી માટે જાતજાતની વાતો સાંભળવા મળી. કોઈ એ કીધું એમાં તો આ દાદાની ગિર્લફ્રેન્ડસ ના નામ છે, કેટલાકે કીધું આ દાદા જુગાર રામે છે એના આંકડા છે. કેટલાકે કીધું કે એ ઘોડા રેસ માં પૈસા લગાવે છે એની માહિતી છે. પાળક સાહેબ ચિંતા માં કે મારી ઓફિસ માં કામ કરનાર એક માણસ એવો છે! પાળક સાહેબે ઉપર એની ફરિયાદ કરી. પરંતુ જવાબ આવ્યો કે અમને એમાં કઈ ખોટું લાગતું નથી. લોકો માં આ ભાઈ ખુબજ લોક પ્રિય છે તો એમને હટાવી ના શકાય.
ઈશ્વરનું કરવું ને એક રાત્રે દાદા ને હાર્ટ એટેક આવ્યો ને તે મૃત્યુ પામ્યા. એમની અંતિમવિધિ આ પાળક સાહેબે કરવાની આવી. વિધિ શરૂ થઇ. અને દાદાના પત્ની પોતાના પતિ વિષે બોલવા ઉભા થયા.પાળક સાહેબની નજર આ દાદી પર પડી. દાદીના હાથમાં એજ નાની ડાયરી હતી.પાળક સાહેબ ચિંતામાં પડી ગયા કે હમણાં આ દાદી કૈક એવું બોલશે કે દાદાની અંતિમવિધિ માં મુશ્કેલી ઉભી થશે. દાદી એ પુલપીટ પર ચડી ને કહ્યું કે આજે તમને મારા પતિ ના ચરિત્ર વિષે કહું છું. પાળક સાહેબ ઉભા થઈને દાદી ની બાજુ માં આવી ગયા કે કયાંક દાદી કંઈક કહે તો તરત  રોકી લેવાય. દાદી એ બોલવાનું ચાલુ કર્યું એમને ડાયરી ખોલી. એમાં થી વાંચવાનું શરૂ કર્યું.એપ્રિલ 17 1970- મેરી ફ્લોરેન્સ તેણી હવે એકલા છે. ઓગસ્ટ 8 1970- ફેડ્રિક ગૅલ તેવો હવે એકલા છે. નવેમ્બર 4 1970-ફ્રેડા સેમ્યુઅલ તેણી હવે એકલા છે. આમ મારા પતિ એ એમની દરેક અંતિમવિધિ સમયે આ જનાર વ્યક્તિ ની પાછળ એકલી પડી ગયેલા લોકો ના નામ આ ડાયરીમાં લખ્યા છે. દરેક નાતાલે મારા પતિ આ બધા લોકોને જાતે ફોન કરી ને અમારા ત્યાં નાતાલ કરવા નું આમંત્રણ આપતા. આ લોકો જીવે ત્યાં સુધી તેમના ઘરે અમે સાથે જઈ ને સંગત કરતા જેથી આવા લોકો જીવન માં એકલા ના પડી જાય.  મારા પતિ જીવ્યા જ આવા લોકો ની સેવામાં છે.
પાળક અને ચર્ચ માં હાજર બધાની આંખો માં આસું હતા. આ એ લોકો હતા જેમને આજ ડાયરીને કારણે દાદાને વિષે જેમ ફાવે તેમ માન્યતા બાંધી લીધી હતી. આવી ખોટી વાતો, આવા ખોટા લોકો શેતાન નું જ કાર્ય કરે છે. એમના આવા જૂઠાણાં થી કેટલાય  લોકો બદનામ થાય છે. જેમના કાર્ય અને આશય બંને શુદ્ધ હોય છે. આવો આપણે પ્રાર્થના કરીયે કે પ્રભુ આપણને આવા જુઠા શેતાનો થી બચાવે અને સાચા ખોટા પારખવાની શક્તિ આપે. બાઇબલ માં નીતિવચનો 18:20-21 માં કીધું છે કે "યકિત જેવું બોલે છે તેવાં ફળ તે ભોગવે છે; પોતાની વાણીનો બદલો તેને ચોક્કસ મળશે. જન્મમૃત્યુ જીભના સાર્મથ્યમાં છે; અને જીભ તેને જે પ્રેમ પૂર્વક વાપરે છે, તેઓ તે પ્રમાણે બદલો મેળવે છે.". વળી એફેસીઓને પત્ર 4:29 માં કહ્યું જ છે કે ,"જ્યારે તમે બોલો, ત્યારે કટુવચન ના બોલો, એવું બોલો કે જેની લોકોને જરૂર છે, જે લોકોને શક્તિશાળી બનાવવામાં મદદરૂપ નીવડે. આમ કરવાથી તમારું સાંભળનારને તમે મદદરૂપ થઈ શકશો." આવો આપણે આપણા શબ્દ અને વિચારોને શુદ્ધ કરીયે. આપણી જીભને ઈશ્વરના મહિમા હેતુ વાપરીએ નહીકે બુરાઈ હેતુ. આપણે આપણી જાતને મુલવ્યા વગર બીજા ને મૂલવવા હંમેશા તૈયાર હોઈ છીએ. કરિંથીઓને પત્ર 1 માં 11:31 માં કહેવાયું છે કે "પરંતુ જો આપણે આપણી જાતને મૂલવીએ, તો દેવ આપણો ન્યાય કરશે નહિ."
વધુ દાદાને ખબરજ હતી કે લોકો તેમના માટે શું શું કહે છે? પરંતુ તેમણે કયારે પણ એનો જવાબ આપવાની કે એમની બીકે કામ છોડી દેવાની વાત ના કરી. પરંતુ તેવો એમના કાર્યને વળગી રહ્યાં. જેમ એફસીઓને પત્રમાં4:11માં  કહેવાયું છે તેમ " અને તે જ ખ્રિસ્તે જુદી વ્યક્તિઓને ભિન્ન ભિન્ન દાન આપ્યાં. તેણે કેટલીએક વ્યક્તિઓને પ્રેરિતો અને કેટલાએકને પ્રબોધકો, કેટલાએક લોકોને જઈને સુવાર્તા કહેવાનું કામ સોંપ્યું, જ્યારે કેટલાએકનું કામ સંતોની સંભાળ રાખવાનું અને તેઓને ઉપદેશ આપવો તે હતું." આપણે આપણેને સોપાએલા કાર્યને પૂર્ણ કરીયે.

Purvi Hope

Editor
Olivia Martins

Reference for Bible
Niyati Walter Gilbert

 Reference Story
Chicken Soup for the Soul

 Reference for Images
Google Images

Friday 22 March 2019

40 Lent Sessions

અજાણ્યા મદદગારો
આપણે આપણા આ જીવનમાં ઘણા અજાણ્યા લોકો મળતા હોય છે. કેટલાકને આપણે મદદરૂપ થતા હોઈએ છીએ, તો કેટલાક આપણે.  આ મારા મટે ઈશ્વરની હેલ્પ સાયકલ જેવું છે. તમે કોઈને મદદ કરી કોઈના માટે ઈશ્વરના દૂત બનો છો તો ઈશ્વર તમારી માટે પણ દૂતો મોકલી જ આપે છે.
આજની વાત આવા જ એક બહેન ની છે.આ બહેન એક સંસ્થા સાથે કામ કરે એમને દિવસ માં ઘણા લોકો ને સંસ્થા ના કામ માટે મળવું પડે. બહેન સ્વભાવે મળતાવડા, એટલે એમાં થી બને એટલા ને શાંતિ થી સાંભળે અને મદદરૂપ થવા ની પુરી કોશિશ કરે. આ બહેનને રૂટિન ચેકઅપ માં એવો રિપોર્ટ આવ્યો કે તેમના હ્ર્દય અને ફેફસા વચ્ચે એક ગાંઠ છે જે દિવસે દિવસે વધી રહી છે. એમને જેમ બને તેમ જલ્દી ઓપરેએશન કરાવવું પડશે. બહેન અને તેમના પતિ ખુબ ગભરાઈ ગયા. બહેન ના ટેસ્ટ ચાલુ થયા પરંતુ અમુક રિપોર્ટ જલ્દી મળી શકે એમ નહતા અને જો એ મળી ના શકે તો ઓપરેશન શક્ય નહતું. ગાંઠ ખુબ ઝપડપ થી વધી રહી હતી. એવામાં એમના એક ઓળખીતા બહેન કે જેમને તેમણે સંસ્થા દરમિયાન મળ્યા હતા, એમને ખબર પડી. એમના પિતા એ લેબ માં વર્ક કરતા હતા. આ બહેન ના પિતા એ લેબ માં આવી ને ટેક્નિશન સાથે વાત કરી રિપોર્ટ જલ્દી કરાવી આપ્યા.
આ વાત ફેલાતા ચારે બાજુ થી પ્રાર્થના અને શુભેચ્છાનો મારો ચાલુ થઇ ગયો. એ શહેરમાં તેવો એકલા હતા. પરંતુ બહેન ના ઓપરેશન થી લઇ ને કીમિયો અને બીજી સારવાર પુરી થતા બહેન ને ઘરની કે બહારની કોઈજ ચિંતા કરવાની ના આવી. લોકો રોજ આવી ને તેમના કુટુંબની સંભાળ લઇ જતા, જમવાની,એમની બંને દીકરીઓની દેખભાળ બધા એ ઉપાડી લીધી. બહેન ને તથા તેમના પતિ ને આ બધુ એક સપના જેવું લાગી રહ્યું છે. તેવો વિચારે છે એકે એ દિવસ કે જયારે એમને ખબર પડી હતી કે તેમને કૅન્સર છે, એ પણ ઝડપથી વધી રહેલું. એક દુઃખ, ચિંતા કે હવે શું? અને આજ નો દિવસ. હવે રિપોર્ટ એક્દમ નોર્મલ, રોગ ની કોઈજ નિશાની નથી. પણ એ દરમિયાન ના 6 મહિના, રોજ કોઈ નવો મદદગાર, નવી પ્રાર્થના. એવા લોકો જે મિત્રો છે, મિત્રો ના મિત્રો છે. ઓળખે છે, નથી ઓળખતા, દૂર છે પાસે છે. આખો દુઃખનો સમય ઈશ્વરની મહિમા અને આશીર્વાદ નો સમય બની ને પલકારામાં ઉડીગયો.
જોયું મિત્રો એક અજાણ્યાને  મદદ તમને કયારે કેવી રીતે ઈશ્વર પછી મોકલી આપે છે! ઈશ્વરે કીધું જ છે કે એક ભૂખ્યા બાળક ને જમાડશો તે મને જમાડ્યો છે. એક દુઃખી ને મદદ કરી તે મને મદદ કરવા બરાબર છે. બાઇબલમાં લુક 6:38 માં કીધું છે કે "બીજા લોકોને આપો એટલે તમને મળશે. તમે તમારા હાથમાં પકડો તેના કરતાં પણ વધુ મેળવી  શકશો. તમને એટલું બધું આપવામાં આવશે જેથી તમારો ખોળો પણ ઊભરાઇ જશે. કારણ કે તમે જે રીતે બીજા લોકોને આપો છો તે જ રીતે દેવ તમને આપશે.". વળી હિબ્રૂઓને પત્ર 13:16 માં પણ કહેવાયું છે કે "બીજાના માટે ભલું કરવાનું  ભૂલશો નહિ. તમારી પાસે જે કાંઈ છે તે બીજા સાથે વહેંચો. કારણ કે દેવ આવાં અર્પણોથી પ્રસન્ન થાય છે.". આપણે માનવ છીએ. ઈશ્વરનું સૌથી સુંદર સર્જન. માણસ પાસે બુદ્ધિ સાથે લાગણી પણ છે. તો ચાલો આ લાગણી ના દ્વાર ખોલીએ અને બીજા ને મદદરૂપ થઈએ. બધી વખત મદદ રૂપ થવા માટે પૈસાની જરૂર નથી હોતી. કયારે મદદ માં હૂંફ, પ્રેમ અને લાગણી પણ આવી જાય છે.
Purvi Hope


Editor
Olivia Martins

Reference for Bible
Niyati Walter Gilbert

 Reference Story
Chicken Soup for the Soul

 Reference for Images
Guideposts

Thursday 21 March 2019

40 Lent Sessions

મારી પત્ની
દોસ્તો આજની વાત કોઈ ચોપડી માંથી નહિ, પરંતુ જીવન ની ચોપડી માંથી હું લખું છું. કોઈ ભૂમિકા વગર.
એક ભાઈ જેમની સારી નોકરી હતી,સારું ભણતર હતું. પણ યુવાની માં ખરાબ સંગત ને કારણે વ્યસનના શેતાનના ગુલામ બની ગયા. હવે ગામની એક સ્ત્રી સાથે તેમના લગ્ન થયા. આ બહેન નું ભણતર ઓછું પણ ગણતર બઉ. જીવ ની, સંબંધોની સમજ બઉ. સૌથી મોટી વાત ઈશ્વરમાં શ્રદ્ધા અને વિશ્વાસ પૂર્ણ જીવન. પતિ ખુબ દારૂ પીવે. પી ને ધમાલ કરે, એટલે કંટાળીને કુટુંબીજનો પણ તેમના થી દૂર થવા લાગ્યા. બે બાળકો થયા. આ બધી પરિસ્થિતિ માં એક વાત ના  બદલાય, તે આ બહેનો ઈશ્વર પરનો વિશ્વાસ. પોતાના કુટુંબ માટે નો પ્રેમ. બહેન ખુબ લગન , પ્રેમ થી, પ્રાથર્ના સાથે પોતાના પતિ ને પાછા ફરવા સમજાવે. પતિ વાત સાંભળવા તૈયાર ન હતા. પરંતુ બાળકો મોટા થવા લાગ્યા. સમજણા થવા લાગ્યા ધીરે ધીરે ઈશ્વરે ભાઈ ના જીવન માં કાર્ય કરવાનું શરુ કર્યું. ધીરે ધીરે ભાઈ ને સમજવા લાગ્યું કે આ વ્યસન નો શેતાન મારા બાળકો ને ગળી જશે. પરંતુ એને છોડવું સહજ નહતું. પત્ની પ્રાર્થના ને વિશ્વાસ સાથે પતિની સેવા માં લાગી ગઈ. પત્ની એ બાળકો આ વ્યસનની પકડમાં ના આવી જાય એની કાળજી પણ રાખી. પતિ ને હૂંફ, પ્રેમ અને પ્રાથર્ના થી વ્યસનની પકડ થી છોડવા લાગી. એની લગન જોઈ ને કુટુંબ ના લોકો પણ પાછા આવા લાગ્યા સહાય કરવા લાગ્યા. ધીરે ધીરે આ વ્યસન નો શેતાન હરિ ને આ કુટુંબને છોડી ને હંમેશા માટે જતો રહ્યો.
એક સમયે જે  નોકરી માંથી કાઢી મુકવાની વાત હતી, ત્યાં ભાઈ ને બઢતી મળવા માડી. ભાઈ પ્રભુના કામમાં જોડાયા. બાળકો ભણી ને સારી જગ્યા એ સ્થિર થયા. આજે જયારે એમની સાથે મુલાકાત થાય છે ત્યારે તેવો પોતાના એવા ખરાબ સમય માં પણ સાથ ના છોડવા, સાચો રસ્તો બતાવ ઈશ્વર અને પોતાની પત્ની નો આભાર માને છે.
દુઃખ પરીક્ષણ બધા જ સબંધોમાં આવે જ છે. પરંતુ આવી પરિસ્થી માં એક એ શાંત રહી પુરા વિશ્વાસથી સમબંધ ને પકડી રાખવાની જરૂર હોય છે. ઘરની સ્ત્રી શાંત, પ્રેમાળ, સમજદાર, ઈશ્વરના માર્ગે ચાલનાર અને દ્રઢ હોય તો. તે કુટુંબ ગમે તેવી પરિસ્થિતિ માંથી બહાર આવીજ શકે છે. બાઇબલમાં કીધું જ છે કે નીતિવચન 31:10-31 માં પત્નીના ગુણો કહેવાય છે જેમાં કહ્યું જ છે કે " સદગુણી પત્ની કોને મળે? હીરામાણેક કરતાં પણ એનું મૂલ્ય વધારે છે.". એટલે કે જેના જીવન માં સદગુણી પત્ની હોય જે હંમેશા પતિનું ભલુજ કરતી હોય, પતિ તેના પર અને તે પતિ પર ભરોસો રાખતી હોય, જે હંમેશા પોતાના કુટુંબ નું ભલુજ કરતી હોય. તેવી પત્ની સાચે જ ઈશ્વરના આશીર્વાદ છે. વળી તીતસ2 ના 3:3-5 માં કીધું છેકે "વળી તું વૃદ્ધ સ્ત્રીઓને પવિત્ર જીવન ગાળવાનું શીખવ. તું એમને શીખવ કે બીજા લોકોની વિરૂદ્ધમાં કૂથલી કરનારી નહિ, કે ઘણો દ્રાક્ષારસ પીનારી નહિ પણ સ્ત્રીઓએ જે સારું છે તે શીખવવું જોઈએ.","જુવાન સ્ત્રીઓને સમજુ અને શદ્ધ બનવાનું, પોતાનાં ઘરોની સંભાળ રાખવાનું, દયાળુ થવાનું અને પોતાના પતિની આજ્ઞા પાળવાનું, તેઓએ શીખવવું જોઈએ. તે પછી, પ્રભુએ આપણને આપેલા વાતની કોઈ પણ વ્યક્તિ ટીકા કરી શકશે નહિ.". સ્ત્રી એ બીજાની કૂથલી કરવામાં સમય ના બગાડવો જોઈએ. પરંતુ દયાળુ બની ને બીજા ને મદદરૂપ થવું જોયે.

Purvi Hope


Editor
Olivia Martins

Reference for Bible
Niyati Walter Gilbert

 Reference for Images
Google Images

Wednesday 20 March 2019

40 Lent Sessions

ઈશ્વરની યોજના દરેક વ્યક્તિ માટે હોય છે. ઈશ્વર આપણને કોઈપણ સંજોગોમાં મૂકી દેતા નથી. આપણે હતાશ કે નિરાશ થવાની જરૂર નથી. આજે આપણે જોઇશું કે, ઈશ્વર ગમે તે સંજોગોમાં એકબીજાથી દૂર થયેલ વ્યક્તિને પોતાની યોજના પ્રમાણે પાસે લાવે છે. આ વાત આપણે એ જ સમજાવે છે.

એક જુવાન પાળક સાહેબની એક ચર્ચ પર નિમણૂક થઈ, જે ખૂબ જૂનું હતું. પાળક અને તેમના પત્ની એ તે ચર્ચને સમારકામ કરીને નવું બનાવવાનો નિર્ધાર કર્યો. નાતાલના બે મહિના પહેલા તેઓ ચર્ચ પર આવ્યા. તેમણે પોતાનું કાર્ય શરૂ કર્યું. નાતાલ ના લગભગ બે દિવસ પહેલા ત્યાં વરસાદ પડ્યો. ચર્ચમાં કેટલીક જગ્યાએથી પાણી ટપકવા લાગ્યું. પુલપીટની દિવાલમાં કેટલીક જગ્યા થોડી ખરાબ દેખાવા લાગી, બે દિવસમાં તેનું સમારકામ શક્ય હતું નહીં, તેથી તેઓ નજીકમાં જ્યાં ઉપયોગી કપડા મળતા હતા ત્યાં ગયા અને એક મોટુ ટેબલકલોથ(tablecloth) તે ખરીદી લાવ્યા. તે ખૂબ સુંદર ટેબલકલોથ(tablecloth) હતું.  તેને જાંબુડી અને સોનેરી રંગની કિનાર લગાવેલી હતી.

બીજે દિવસે સવારે તેઓ ટેબલકલોથ(tablecloth) લઈને ચર્ચ પરપર આવ્યા, ત્યારે તેમણે એક વૃદ્ધ સ્ત્રીને ચર્ચ પાસે ઉભા રહેલા જોયા. એ દિવસે વાતાવરણ ઘણું ઠંડો હતું. તેથી તેમણે તે વૃદ્ધાને ચર્ચમાં આવીને બેસવાનું કહ્યું કે જેથી કરીને તે ઠંડીથી રક્ષણ મેળવે. તે વૃદ્ધા ચર્ચમાં આવ્યા અને  તેમણે પાળકને કહ્યું "હું અહીં મારા માટે બસની રાહ જોઉં છું કારણકે મારે એક જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા જવાનું છેહું એક કુટુંબમાં તેમના બાળકોને સાચવવાનું કામ કરવા માટે ઇન્ટરવ્યૂ આપવા જાઉં છું.".  તેમણે પાળક સાહેબને તે કુટુંબનું સરનામું અને ફોન નંબર જણાવ્યા.

ચર્ચમાં અંદર આવીને તે સ્ત્રી માથું નમાવીને બેઠી અને પ્રાર્થના કરવા લાગી. પાળક સાહેબ પૂલપીટ ની પાછળ ટેબલકલોથ (tablecloth) લગાવવાનો પ્રયત્ન કરતા હતા, કે જેથી કરીને ત્યાંના કાણા દેખાય નહીં. તે સ્ત્રીએ ઉપર જોયું અને એકદમ તે બોલી ઉઠી "આ મારો ટેબલકલોથ (tablecloth)  છે.". તેણે પોતાની વાત કહી. તે એક શરણાર્થી હતી જે બીજા વિશ્વયુદ્ધમાં વિએના અને ઑસ્ટ્રિયા માં પોતાના પતિ સાથે રહેતી હતી. તેઓ નાઝીઓના વિરોધી હતા. તેથી તેમણે તે સ્થળ બદલી નાખવાનો વિચાર્યું. તેના પતિએ પ્રથમ તેને સ્વિઝર્લેન્ડ માં મોકલી અને કહ્યું હું પાછળથી આવું છું કે જેથી કરીને તેઓ પકડાય નહીં. પરંતુ થોડા વખત પછી તે સ્ત્રીને ખબર પડી કે તેના પતિ લડાઈમાં મૃત્યુ પામ્યા અને હવે તે એકલી હતી. આ ટેબલકલોથ(tablecloth) તેવો ખાસ પ્રસંગોએ વાપરતા હતા. તેમણે પાલકનો આભાર માન્યો અને  તે વૃદ્ધા  પોતાના ઇન્ટરવ્યુના સ્થળે રવાના થઈ ગયા.

તે સાંજે નાતાલની રાત્રી સભામાં બાળક સાહેબ અને બધા લોકો એ સાથે મળીને કેન્ડલલાઈટ માં ખુબ આનંદ કર્યો. સભા સમાપ્ત થયા પછી એક વૃદ્ધ વ્યક્તિ આગળ આવ્યા અને તેમણે પાળક સાહેબ સાથે વાત કરી કે આ ટેબ્લેકલોથ(tablecloth) તેમની પત્નીએ બનાવ્યો હતો. અને જે વાત પેલ વૃદ્ધાએ કરી હતી તે બધી વાત તેમણે ફરીથી કઈ બાળક સાહેબ આનંદ અને આશ્ચર્ય સહિત વૃદ્વ  વડીલને સાંભળવા લાગ્યા. તે વૃદ્ધ વડીલ અંતે દુઃખી થઈને બોલ્યા  મારી પત્ની મરણ પામી છે અને આ ટેબલકલોથ(tablecloth) એ મને તેની યાદ અપાવી છે.

પાળક સાહેબે તે વૃદ્ધને આનંદ સાથે કહ્યું તમારી તમારી પત્ની જીવે છે, અને સવારની પૂરી ઘટના તેમણે તે વૃદ્ધ ને જણાવી, અને કહ્યું કે મારી પાસે તે કુટુંબ નો ફોન નંબર છે હું ફોન કરું અને તમારા માટે તમારી પત્ની ની માહિતી લઈ લઉં છું. પાળક સાહેબે વૃદ્ધાનું સરનામું મેળવ્યા પછી, તેઓ તે વૃદ્ધ સ્ત્રીના એપાર્ટમેન્ટ તરફ ગયા. તેમણે દરવાજો ખખડાવ્યો. તે સ્ત્રીએ દરવાજો ખોલ્યો. તે વૃદ્ધા પાળક સાહેબેને જોઈને આશ્ચ્રર્ય થયું. પરંતુ પાળક સાહેબ સાથે રહેલા પોતાના પતિ ને જોઈ ને ખૂબ જ આનંદ આશ્ચર્ય અનેક ઘણી બધી લાગણીઓ થી તેમનું હૃદય ભરાઈ ગયું. તે  દંપતી એક બીજા ને જોઈ  ખૂબ ખુશ થઈ ગયા. પાળક સાહેબ વિચારવા લાગ્યા કે વિચારવા લાગ્યા કે મારી બદલી, ચર્ચનું સમારકામ, ટેબલકલોથ(tablecloth), વૃદ્ધાનું ચર્ચમાં આવવું આ બધું જ ઈશ્વરની યોજના નો જ ભાગ હોતી કે જેથી કરીને આ વૃદ્ધ દંપતી એકબીજાને મળી શકે.

ઈશ્વર આપણને ઈશ્વરે મારા તમારા માટે પણ કોઈ યોજનાઓ કરી રાખી છે કે જે આપણને દરેક દુઃખ માં કે સુખમાં જોવા મળે છે. નીતિવચન 16:3 તમારા કામો યહોવાને સોંપી દે એટલે તમારી યોજનાઓ સફળ થશે. 4 યહોવાએ પ્રત્યેક વસ્તુને પોતપોતાના હેતુ માટે ર્સજી છે;".  હિબ્રૂમોને પત્ર 13:5 "નાણાનાં લોભથી દૂર રહો તમારી પાસે જેટલું હોય તેટલામાં સંતોષ માનો. દેવે કહ્યું છે:“હું તને કદી મૂકી દઇશ નહિ; અને તને તજીશ પણ નહિ.”". ઈશ્વર કયારે પણ આપણને મૂકી દેતો નથી. 
Olivia Martins


Editor
Purvi Hope


Reference for Bible
Niyati Walter Gilbert

 Reference Story
Chicken Soup for the Soul


Tuesday 19 March 2019

40 Lent Sessions

મોટી બહેન 
કયારેક ઈશ્વર આપણને અગાઉથી થનારી વાતો બતાવી ને તેના પર ચાલવા માટે દોરતો હોય છે. ઈશ્વરના આયોજન ખુબ સુંદર હોય છે. હા! એ છેકે તે આપણી સમજની  બહાર હોય છે. આપણે જયારે એના આયોજન સમજાય ત્યારે આપણે તેનો મહિમા કર્યા વગર રહી નથી શકતા.
આજની વાત એવી જ બે બેહનોની છે. બે સગી બહેનો, પરણીને પોત પોતાના સંસારમાં  જોડાઈ ગઈ હતી. મોટી એક શહેરમાં નાની એનાથી ઘણી જ દૂર બીજા શહેર માં. એક દિવસ મોટી બહેન ને સ્વપ્ન આવ્યું એ જલ્દી ઉઠી ને તૈયાર થઇ ને પોતાના પતિ ને ઉઠાડ્યા. તેને તેના પતિને થોડી વાતો કરી. થોડી જ વાર માં મોટી બહેન ઢળી પડી. એને હોસ્પિટલમાં લઈ ગયા જાય ડૉક્ટરે તેના મગજને મૃત (બ્રેન ડૅડ) જાહેર કર્યું. એના પતિ એ બધા ને બોલાવી લીધા. નાની બહેનને આ સમાચાર સાંભળી ને જાણે લકવા જ મારી ગયો. નાની બહેન તેના પતિ સાથે માંડ લાંબી સફર કરી ને મોટી બહેનના શહેર એને રાખેલી તે હોસ્પિટલ માં  પોહચી. 
નાની બહેને વિંનતી કરી કે મને મારી બહેન પાસે થોડી વાર એકલી રહેવા દો. બધા રૂમ માંથી બહાર  ગયા પછી થોડીવાર માં એને જોયું કે એની બહેન પડખું ફરી, અને એની સામે જોઈ ને વાત કરી. એકદમ ધીમા પણ સાફ અવાજમાં કીધું કે "હું અહીં બહુ ખુશ છું. હું ઈશ્વરની સાથે તેમની પાસે છું. બસ એક કામ કર મેં તારા બનેવી ને જે કીધું છે તે તમે કામ પતાવો. કોઈ મારા માટે દુઃખી ના થતા. હું ઈશ્વરને દૂત તરીકે અલગ કરાઈ છું." નાની બહેન તરત બહાર ગઈ ને બધા ને બોલાવી લાવી. પણ ડૉક્ટરે ના પડી કે પેશન્ટની હાલત માં કંઈજ સુધારો નથી. ત્યાર બાદ નાની બહેનને તેની માતા એ કહ્યું કે મારી સાથે પણ તારી બહેને આમજ વાત કરી છે. તારા દાદાને પણ એવો જ અનુભવ થયો છે. હમણાં જ તેમનો ફોન હતો અને તેમણે કીધું કે મોટી મને મળી ને ગઈ. એ ખુબ જ સુંદર લગતી હતી. 
જયારે બધા એ મોટી બહેનના પતિની વાત સાંભળી તો બધા ઈશ્વરની યોજના જોઈ ને ખુબ જ આશ્ચ્રર્યચકિત થઇ ગયા. તેમણે કીધું કે સવારે જલ્દી ઉઠી ને તૈયાર થઇ ને મારી પત્નીએ મને જગાડ્યો અને કીધું કે "મેં સ્વપ્ન જોયું છે. હવે આજે હું ઈશ્વર પાસે જવાની છું, તમે મને તરત હોસ્પિટલ લઇ જજો અને મારા શરીરના અંગો દાન  કરી દેજો.". પેહલા તો મેં એની કોઈ વાત માની નહિ, પરંતુ થોડી જ વારમાં તે બેહોશ થઇ ગઈ. અમે એને હોસ્પિટલમાં લાયા તો ડૉક્ટર કીધું કે સ્ટ્રોકના કારણે એનું બ્રેન ડૅડ થયું છે. ત્યારબાદ મોટી બેન ના અંગ દાન કરી દેવા માં આવ્યા. એના  અંગો થી 4 વ્યક્તિઓ ને નવું જીવન સાંપડ્યું. આજે એ વાત ને વર્ષો થઇ ગયા છે, પરંતુ આજે પણ એ કુટુંબના સભ્યો ને જયારે મુસીબત હોય કે બીમાર હોય  કે ગમે તેવી પરિસ્થિતિ હોય. મોટી બહેન સપનામાં આવી ને તેમને દૂત ની જેમ દિલાસો આપે છે. 
ઈશ્વરની યોજના હંમેશા આપણી સમજની બહાર  હોય છે. પરંતુ આપણે એને આધીન થઇ ને તેને પરિણામની ચિંતા વગર પુરી કરીયે છીએ તો તે આશીર્વાદથી આપણા અને બીજા ના જીવનો ભરી દે છે. તે પોતાની યોજના માટે જયારે આપણો  ઉપયોગ કરે છે ત્યારે આપણે પણ તેમને પુરી આધીનતાથી સમર્પણ કરવું જ જોઈએ. બાઇબલમાં તેનું સૌથી મોટું ઉદાહરણ ઇબ્રાહિમ છે. જુના કરાર માં ઉત્તપત્તિ 12:1 થી 12:4 માં આપણે જોઈએ છીએ કે " યહોવાએ ઇબ્રામને કહ્યું, “તું તારો દેશ, તારા સગાંસંબંધી, અને તારા પિતાના પરિવારને છોડી દે અને હું બતાવું તે દેશમાં ચાલ્યો જા.
2 હું તને આશીર્વાદિત કરીશ. હું તને એક મહાન રાષ્ટ બનાવીશ. હું તારા નામને પ્રસિધ્ધ કરીશ. લોકો તારા નામ દ્વારા બીજાને આશીર્વાદ આપશે.
3 જે લોકો તારું ભલું કરશે તે લોકોને હું આશીર્વાદ આપીશ. પરંતુ જેઓ તને શ્રાપ આપશે તેઓને હું શાપ દઈશ. પૃથ્વી પરના બધા મનુષ્યોને આશીર્વાદ આપવા માંટે હું તારો ઉપયોગ કરીશ.”
4 ઇબ્રામે યહોવાની આજ્ઞાનો સ્વીકાર કર્યો. તેણે હારાન છોડયું. અને લોત તેની સાથે ગયો. તે સમયે ઇબ્રામ 75 વર્ષનો હતો.". તેવી જ રીતે નૂહ જયારે ઈશ્વરના કહેવાથીવહાણ બનાવતો ત્યારે પણ એને ઈશ્વર ની યોજના ને પૂર્ણ આધીન થયોઅને ઈશ્વરે તેને તથા તેના કુટુંબ ને જળ પ્રલય થી બચાવી નેનવી દુનિયા માં વસાવ્યા. યર્મિયા 29:11 માં કહ્યું છે કે "તમારા માટે મારી જે યોજનાઓ છે તે હું જાણું છું,” એમ યહોવા કહે છે. “તે યોજનાઓ છે તમારા સારા માટે, નહિ કે તમારું ભૂંડું થાય તે માટે. તે તો તમને ઊજળું ભાવિ અને આશા આપવા માટે છે."

Purvi Hope


Editor
Olivia Martins

Reference for Bible
Niyati Walter Gilbert

 Reference Story
Chicken Soup for the Soul

 Reference for Images
www.dailyinspirationalauotes.in

Monday 18 March 2019

40 Lent Sessions

માતૃપ્રેમ 
આજે આપણે થોડું અલગ જોઈએ. મેં પાછળ ના એક બ્લોગ માં એવી માતાઓની વાત કરી હતી, કે જેમની સેવા, પ્રાર્થના અને વિશ્વાસથી એમના બાળકો ગંભીર માંદગી માંથી બહાર આવ્યા હતા. માતા ઈશ્વરનું એવું સર્જન છે કે જે બાળક ના જીવન પર અમીટ છાપ મૂકે છે. માતાનું પ્રેમ પૂર્વક નું જતન જ બાળક ને સંસાર ની સાચી સમજ આપે છે. માતા બાળક ની માંદગીમાં કે મુશ્કેલીમાં એની મદદગાર, એની ઢાલ બની ને ઉભી રહે છે. તેથીજ બાઇબલમાં ઈશ્વર પોતાની સરખામણી માતા સાથે કરે છે. યશાયા 66:13 માં કહેવાયું છે કે " નાનાં બાળકોને જેમ તેની મા દિલાસો આપે છે, તે પ્રમાણે હું તમને દિલાસો આપીશ; અને યરૂશાલેમમાં તમે સૌ દિલાસો પામશો.”.
આજે આપણે આવી જ એક માતા ની વાત કરવાની છે. એક યુવાન ડોક્ટરને ICU માં રાત્રી સેવા માટે મુકવામાં આવ્યા હતા. ઘણું જાણવા, સમજવાની  ઈચ્છા રાખવા વાળા આ ડૉક્ટરે ત્યાં સેવામાં કાર્યરત એવા  નર્સ બહેન ને પુછ્યું કે "તેમે તો અહીં કેટલા વર્ષો થી સેવા માં છો. તમે કયારેય કંઈક અજુગતું જોયું હતું?" નર્સ બહેને પહેલા તો ના પાડી પરંતુ પછી એમણે  જણાવ્યું કે મારી સેવા દરમ્યાન મેં એક જ વાર એક અજુગતો અનુભવ કર્યો છે. જે હું જિંદગી માં નહિ ભૂલું. આ અનુભવ મને મારી માતાની વધુ નજીક લાઇ આવ્યો  છે.
નર્સ બેને જે કીધું તે કંઈક આમ છે. એક વાર એક 25 વર્ષના યુવાન ને ફૅક્ટરી માં મોટા મશીન માં પગ આવી જતા ખુબ ખરાબ રીતે ઘાયલ અવસ્થા માં હોસ્પિટલ માં લાવા માં આવ્યો. આ યુવાન  આવ્યો તયારે તેની પાસે કોઈ નહતું. યુવાનના પગમાં ઘણા ફ્રેક્ચર થયા હોવા થી તેના ઑપરેશન ની તૈયારી ચાલતી હતી. ICU માં આ નર્સ બહેન તેને ઑપરેશન માટે તૈયાર કરતા હતા. ત્યાં એક આન્ટી દોડતા આવ્યા. તેમના મુખ પર ખુબ ચિંતા ને દુઃખ હતા. તેવો આવીને નર્સ બહેન ને કીધું કે આ મારો દીકરો છે. એમણે નર્સ બહેનને એમના દીકરા પાસે જવા દેવાની વિંનતી કરી. પરંતુ નર્સ બહેને એમને સમજાવ્યું કે મારે તેને ઑપરેશન માટે તૈયાર કરવાનો છે. ઑપરેશન નું નામ સાંભળીને માતા ખુબ ઘભરાઈ ગઈ. નર્સ બહેને તેમને સમજાવ્યું કે તમારો દીકરો બહુ બહાદુર છે. પછી તેમને સાદી ભાષામાં એમના દીકરા ની ઇજા વિષે કીધું ત્યારે માતા રડી પડી. એમણે જણાવ્યું કે 'મારા દીકરાને કેટલું દુઃખ થતું હશે?". ત્યારે નર્સ બહેને તેમને આશ્વાસન આપ્યું કે ઇમર્જન્સી ડિપાર્ટમેન્ટે એને એવી દવા આપી દીધી છે કે એને દુઃખ ના થાય. આ સાંભળી ને માતા થોડી આશ્વસ્ત થઇ. નર્સ બહેને એમને વિશ્વાસ આપ્યો કે ઑપરેશન પૂરું થાય એટલે તેમે તમારા દીકરા પાસે જઈ શકશો. હું તમને લઇ જઈશ. ત્યાં સુધી તમે નીચે લોબીમાં બેસો. 
ઑપરેશન પૂરું થયું, નર્સ બહેન નીચે લોબીમાં માતા ને ખબર આપવા ગયા, તો લોબી માં કોઈ નહતું. થોડા જુવાનો ઉભા હતા. તેવો એ આગળ આવી ને પેશન્ટની ખબર પૂછી, અને જણાવ્યું કે અમે તેના મિત્રો છીએ. નર્સ બહેને પૂછ્યું કે તેની માતા ક્યાં છે. તો મિત્રો વિચારમાં પડી ગયા. તેવો એ પહેલા તો કીધું કે તેની માતા નથી. નર્સ બહેને જયારે જણાવ્યું કે એની માતા અહીં આવ્યા ત્યારે ખુબ ચિંતિત હતા, તો તમે એમને સંદેશો પોહચાડી દેજો. ત્યારે મિત્રો એ જે જવાબ આપ્યો તે ખુબ આષ્ચર્યચકિત કેરી દે તેવો હતો. તેમનું કહેવું હતું કે અમારા આ મિત્રનું દુનિયા માં દૂર ના પિતરાઈ સિવાય કોઈ નથી. તેની માતા તો 2 વર્ષ પેહલા જ મૃત્યુ પામ્યા  છે.  એના પિતરાઈ પણ આવી ગયા છે. તેમે તેમને પણ પૂછી જુવો. પિતરાઈ ભાઈ એ વાત સાંભળ્યા પછી આવનાર આન્ટી નો દેખાવ કેવો હતો તે પૂછ્યું તો એ બિલકુલ પેશન્ટની માતા જ હતી. 
બે વર્ષ પહેલા મૃત્યુ પામેલી માતા પણ પોતાનો દીકરો દુઃખ માં એકલો પડ્યો કે ઈશ્વર પાસે થી દોડી આવી, અને જેવી એને ખાતરી થઇ કે દીકરો સલામત છે, અને તેની સારવાર કરનાર આવી ગયા છે તો પછી ચાલી ગઈ. માટે જ આપણા ગુજરાતી માં કહેવાય છે કે "જનનીની જોડ  સખી નહિ જડે.'.
Purvi Hope

Editor
Olivia Martins

Reference for Bible
Niyati Walter Gilbert

 Reference Story
Chicken Soup for the Soul

 Reference for Images
Google Images
 


Sunday 17 March 2019

40 Lent Sessions

પ્રાર્થના ને મદદ
આપણા જીવન માં એવા ઘણા પ્રસંગો આવે છે, કે જયારે આપણને કોઈ વસ્તુની જરૂર હોય એ આપણી સામે હોય પણ આર્થિક કે બીજા કારણોસર આપણે  એ વસ્તુ લેવાની હિંમત કરી શકતા નથી. એવા  સમયે આપણે પ્રાર્થના ની મદદ લેવાનું પણ ચુકી જતા હોય છે. ઈશ્વર પર નો વિશ્વાસ ગુમાવી ને દુનિયાદારી ની રીતે જે યોગ્ય લાગે તે નિર્ણય લેતા હોઈયે છીએ. એ ખોટું નથી, પણ આપણે ત્યારે થોડી હિંમત અને થોડી પ્રાર્થના ની જરૂર હોય છે.
આજ ની વાત પણ એવી જ છે. એક શહેરમાં દેશ ની બધીજ મંડળીની સંગીત સભા હતી. આ સભામાં ઈશ્વરની મહિમા  ગાતા બધા જ લોકો એ ભાગ લીધો હતો. એમાં એક યુવાન જોડું હતું  જે હજુ પોતાના ક્ષેત્રમાં સંઘર્ષ કરી રહ્યું હતું. આ જોડી ને એક પિયાનોની જરૂર હતી. સભા ના દિવસો માં વચ્ચે એક રાજા નો દિવસ હતો. આ જોડી બજાર માં લટાર મારવા નીકળી. તેવો બજાર ના એક સંગીતના સાધનો વેચતી દુકાન માં ગયા. મોટા શહેરની મોટી દુકાન માં બન્નેને એ વાત નક્કી લગતી હતી કે આપણા બજેટ માં કઈ જ મળવાનું નથી. પરંતુ પતિ આશાવાદી હતા કે કંઈક  તો મળી જશે .  દુકાન માં એક નાનો  પિયાનો જોયો. જે ખુબ સુંદર  હતો અને એના સુર પણ મધુર હતા. બન્નેને એ ગમી ગયો. પરંતુ ભાવ સાંભળી ને બહેન હિંમત હારી ગયા. પિયાનો 10000 રૂપિયાનો હતો. ડિસ્કાઉન્ટ સાથે 5000 રૂપિયાનો પડે. બન્નેના ગજવામાં માત્ર 500 રૂપિયા હતા. પરંતુ તેમના પતિ ખુબ ઉત્સાહી હતા. એમને એ 500 રૂપિયા એડવાન્સ માં આપી ને પિયાનો નોંધાવી લીધો. નક્કી કર્યું કે 30 દિવસ માં જો બાકી ના 4500 રૂપિયા ના આપી શક્ય તો આ પિયાનો બીજા ને વેચી દેવાનો. બહેન ખુબ ગુસ્સે થયા. પણ એમના પતિએ જણાવ્યું કે પૈસાનો બંદોબસ્ત ઈશ્વર કરશે. આપણે જે ઈશ્વર ના કાર્ય કરીયે છીએ એના માટે આ પિયાનોની જરૂર છે. આપણી જરૂરિયાત ઈશ્વર પુરી કરશે. આપણે  વિશ્વાસ અને પ્રાર્થના કરવાની છે.
બહેન રોજ સવારે પ્રાર્થનામાં પિયાનો ની અરજ ઈશ્વર પાસે લાવવા લાગ્યા. ઈશ્વર મારા સંગીત માટે આ પિયાનોની મને જરૂર છે. જો કોઈ ડૉક્ટર પોતાની સેવા માટે સાધન માગત તો તું  આપત જ ને. તેમ મને મારી સેવા માટે આ પિયાનો ની જરૂર છે. તું બંદોબસ્ત કરી આપ. સાથે તેવો સંગીત સભા માં ગીતો ગાતા અને ઈશ્વરનો મહિમા કરતા રહ્યા. આમને આમ દિવસો વીતતા ગયા. 29 માં દિવસે સભા પુરી થઈ. બધા પોતપોતાને ઘરે ગયા. આ યુવાન જોડું પણ પોતાને ઘરે ગયું. પૈસા નો કોઈ બંદોબસ્ત થયો નહતો. બહેન  નિરાશ હતા. તેવો ઘરે પોહ્ચ્યા કે તેમના પિતાએ એક કવર બહેન ને આપ્યું ને કીધું કે "આ કાલે જ આવ્યું છે ઘણું અજીબ છે. એમાં સરનામું પણ બરોબર નથી અને તારી અટક પણ ખોટી લખી છે. છતાં અહીં સુધી પોહચી ગયું.". બહેને આ પરબીડિયું ખોલ્યું, તો તેમના આશ્ચ્રર્ય સાથે એમાં 5000 રૂપિયા નો ચેક હતો. જે તેમના દુરના કાકાએ મોકલ્યો હતો. આ  કાકા ને બહેને  કયારેક જોયા હતા, પણ વાતચીત કયારેય નહતી કરી.
બહેન ના પતિ એ કહ્યું "જો આપણી પ્રાર્થના નો જવાબ.". એમને તરત પેલી દુકાને ફોને કરી ને બાકી ના
4500 રૂપિયા ખાતામાં મોકલી આપ્યા, સામે  દુકાને પણ એમને 500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ કરી આપ્યુ. પિયાનો બહેનના ઘરે પોહચાડી દીધો.
તો જોયું! ઈશ્વર એમની મદદ મોકલવા કોઈ નો પણ ઉપયોગ કરી શકે છે. બસ આપણો  વિશ્વાસ અને પ્રાથર્ના જરૂરી છે. બાઇબલમાં યોહાનનો પત્ર 1 માં 5:4 માં કહેવાયું છે કે "શા માટે? કારણ કે પ્રત્યેક વ્યક્તિ જે દેવનું બાળક છે તે જગતમાં વિજય મેળવવા શક્તિમાન છે.", અને માર્ક 11:24 માં જણાવાયું છે કે "તેથી હું તમને કહું છું કે પ્રાર્થનામાં જે સર્વ તમે માગો છો, તે અમે પામ્યા છીએ, એવો વિશ્વાસ રાખે, તો તે તમને મળશે.". આપણી પ્રાર્થના વિશ્વાસ સાથે થવી જોયે ના કે દેખાવ સાથે. ઈશ્વર ઈચ્છે છે કે આપણે આપણી જરૂરિયાત તેમની પાસે લાવીએ. તે આપણા પિતા છે. જેમ બાળક પોતાની જરૂરિયાત પોતાના વ્હાલા પિતાને કહે છે તેમ આપણે પણ આપણી જરૂરિયાત આપણા પિતા ને કહેવાની છે. જેમ આપણે આપણા પિતા પર ભરોસો રાખીયે છીએ તેમ ઈશ્વર પિતા પર ભરોસો રાખવાનો છે.

Purvi Hope


Editor
Olivia Martins

Reference for Bible
Niyati Walter Gilbert

 Reference Story
Chicken Soup for the Soul

 Reference for Images
Google Images


Saturday 16 March 2019

40 Lent Sessions

આશ્વાસન 
આપણા બધાના જીવન માં એ ક્ષણ આવેજ છે કે આપણા પ્રિયજનને ઈશ્વર પાસે મોકલી દેવા પડે. પરંતુ એ ક્ષણ ત્યારે વધારે દુઃખ દાઈ બને છે જયારે તે આપણું નજીકનું હોય કે આપણા થી નાનું હોય. માબાપ માટે તેમના બાળકોની વિદાય નું આ દુઃખ સૌથી વસમું હોય છે.  આ જીવન છે, અને તેનું ચક્ર હંમેશા ચાલતું જ રહે છે. અને આવા કઠિન સમયમાં ઈશ્વર આપણને મૂકી દેતો નથી. તે પોતાના અંનત કાલીન આશ્વાશન થી આપણને ભરતો હોય છે. આપણે એ બાજુ ધ્યાન આપવાનું હોય છે, એના પર વિશ્વાસ કરવાનો હોય છે.
આપણી આજની વાત પણ કંઈક આવીજ છે. એક નાનું બાળક કે જે કુટુંબ નું સૌથી નાનું, અને સૌ ને વાહલુ છે. એને નારંગી બૌ ગમે. માતા હંમેશા ધ્યાન રાખે કે નારંગી ની સીઝન માં નારંગી એને પૂરતા પ્રમાણ માં મળી રહે. એક દિવસ માતા એ જોયું કે બાળક નારંગી ખાઈ ને એના બી કાલીન નીચે છુપાવી દે છે. માતા બાળક ને શીખવ્યું કે એમના કર. બી ને રસોડા ના ખાલી કુંડા માં નાખી દે. આપણે એનું ધ્યાન રાખીશું. આમ તે બી વાવતા શીખ્યું. એને વાવેલા બી માંથી નાતાલ સુધી એક છોડ નીકળ્યો. બાળકે એની કાળજી લેવાનું શરૂ કર્યું. માતાએ સમજાયું કે આના પર નારંગી આવતા વર્ષો જશે. માતા ને બાળક આ છાડની કાળજી લેવા લાગ્યા.  બાળક મોટું થયું. ભણી ગણી ને પેટ્રોલિયમ સઁશોધક બન્યો. તેને દરિયામાં સંશોધન કરવું ખુબ ગમતું. એટલે એને અંટાર્કટિક ના દરિયા માં સંશોધન પસંદ કરી ત્યાં નોકરી લીધી. લગ્ન કાર્ય, ઘર પણ એ બાજુ જ બનાવ્યું. પરંતુ એ નવા વર્ષ ની ઉજવણી માટે હંમેશા તે કુટુંબ સાથે માતાપિતા પાસે આવતો. હંમેશા માતાને કહેતો કે આ આપણું ઝાડ ફળ કેમ નથી આપતું? માતા કેહતી આપનો શિયાળો એને કદાચ નથી સદતો. આ જાપાન બાજુ નું ઝાડ છે. અપને આશા રાખીયે કે અહીં પણ એ ફળ આપે. આમ દિવસો જવા લાગ્યા. આ દીકરાની બદલી દુનિયાના સૌથી મોટા દરિયાઈ સંશોધન કેન્દ્ર પર થઇ. જે માનવી એ બનાવેલા ટાપુ જેટલું મોટું હતું. દીકરો ત્યાં જવા ખુબ ઉત્સાહી હતો. તેણે માતા સાથે વાત કરી ને માતા ને આશ્વાસન આપ્યું કે આ જગ્યા ખુબજ મજબૂત છે. ક્યારેય ડૂબી ના શકે  મજબૂત. અને માતા ને કહ્યું કે " આ ઉનાળામાં હું આવી ને મારા નારંગી ના ઝાડ ને મારા ઘરે લઇ જઈશ પછી એના પર જરૂર ફળ આવશે.". પરંતુ એક દિવસ પિતા જયારે ટેલીવિઝન પર સમાચાર જોતા હતા ત્યારે તેમણે જોયું કે દીકરો જે કેન્દ્ર પર કામ કરે છે તે દરિયાના તોફાન ની ઝપેટમાં આવી ગયું હતું. ત્યાંનો સમ્પર્ક છૂટી ગયો  હતો. આ રાત્રે એક વાગ્યા ના સુમારે બન્યું હતું. કોઈ ના પણ જીવિત હોવા ના કોઈ આસાર નહતા. સાંજ સુધીમાં એ નક્કી થઇ ગયું કે દીકરો હવે નથી રહ્યો. માતાપિતા માટે આ દુઃખ ખુબ અસહ્ય હતું.
ધીરે ધીરે સમય જવા લાગ્યો, ઈસ્ટર પાસે આવી. માતાનું મન કેમેય કરી ને તહેવાર ઉજવા માની  નહતું રહ્યું. ત્યાં તેમની દીકરીએ આવી ને સમાચાર આપ્યા કે મા જો ભાઈ ની નારંગીને ફૂલ આવ્યા. બધા ના આશ્ચર્ય સાથે આખું ઝાડ ફૂલથી ભરાય ગયું હતું. એના ફૂલો નીસુગંધ થી આખું ઘર પણ મહેકવા લાગ્યું. અને બધા ના આશ્ચર્ય વચ્ચે ઈસ્ટર પર એના પર થી પાકી બે નારંગી પણ પડી. માતાને જાણે કેહતી ના હોય કે ઉઠ ટેરો દીકરો અહીં તારી સાથે છે. માતા આ ચમત્કાર થી અશ્વશન મેળવી જીવન માં જોડાઈ ગઈ. દીકરાનો દીકરો પણ નારંગીના એ ઝાડ માટે એટલીજ કાળજી લેવા લાગ્યો જેટલી એના પિતા લેતા હતા.
જીવન નું ચક્ર હંમેશા એમજ ચાલતું રહે છે. આપણે એમાની નાની નાની ઘટનાઓ થી આશ્વાસન લેવું અને મોટી દુઃખદાયી ઘટનામાંથી બહાર આવું જરૂરી બને છે. હમણાંજ મેં વાંચ્યું હતું કે ઈશ્વર પણ એની જ મદદ કરે છે એનેજ દિલાસો આપે છે જે લેવા માંગતું હોય. આ વાત ખુબ અટપટી છે. દુઃખ એ જીવનું ચક્ર છે. પણ એમાંથી બહાર નીકળવું એ આપણા હાથ માં છે.માથ્થી 5:4 માં કીધું છે કે "જેઓ શોક કરી રહ્યા છે તેઓને ધન્ય છે. કારણ કે તેઓને દેવ દિલાસો આપશે. ". વળી પ્રગટીકરણ 21:4 માં પણ કીધું છે કે "દેવ તેઓની આંખોમાંથી પ્રત્યેક આંસુ લૂછશે. ત્યાં હવે ફરીથી મૃત્યુ, ઉદાસીનતા, રૂદન કે દુ:ખ હશે નહિ. બધી જુની વાતો જતી રહી છે.". ઈશ્વર પર વિશ્વાશ કરી ને આગળ વધવું એજ જીવન છે.

Purvi Hope


Editor
Olivia Martins

Reference for Bible
Niyati Walter Gilbert

 Reference Story
Chicken Soup for the Soul

 Reference for Images
loveliveson.com

Friday 15 March 2019

40 Lent Sessions

ઈશ્વરનું આશીર્વાદિત બાળક 
કયારેક કેટલા બાળકો ખાસ હોય છે. જેને આપણે ખાસ(સ્પેશયલ) બાળક કહીયે છીએ. અમારા એક અંકલ આવા બાળકોના આશ્રમમાં સંચાલન નું કાર્ય કરે છે. તેમના આશ્રમ ની મુલાકાત લેતા આવા બાળકો ને જોતા હંમેશ દુઃખ ની લાગણી અનુભવાય છે. આવા બાળકો ખુબ જ પ્રેમાળ ને, આંનદીત હોય છે. પરંતુ આવા બાળકો ને જોઈ ને એ વિચાર જરૂર આવે કે એવી કઈ મજબૂરી હશે કે માતાપિતા આ બાળકો ને કોઈ આશ્રમ માં મુકવા મજબુર થઇ જાય છે. ગુજરાતી માં એક કેહવત છે કે "છોરું ક છોરું થાય, પરંતુ માવતર ક માવતર કયારેય ના થાય.". પરંતુ આવા માતાપિતા આ કહેવત ને ખોટી પડે છે. આ આશ્રમ માં રહેલા કેટલાક માતા પિતા એવા છે કે જેમની  આર્થિક પરિસ્થિતિ એવી ના હોય કે આ બાળકની સંભાળ રાખી શકે. પરંતુ ઘણા એવા છે કે જેમની પાસે દેખીતું કોઈ જ કારણ ના હોય, ને તેવો પોતાનાજ બાળક થી મોહ ફેરવી લેતા હોય છે.
આનું એક કારણ સમાજ અને સમાજ ની કેટલીક ગૈર માન્યતાઓ  પણ છે. તે એ કે "માતા પિતાની પાપની સજા રૂપ ઈશ્વર આવા બાળક આપે છે.". કયારેય વિચાર્યું કે ઈશ્વર એવું કરી શકે?  જવાબ છે ના. જુના કરાર મુજબ પેહલા આ વાત કદાચ સાચી હતી, પરંતુ ઈસુના આવ્યા બાદ આ વાત સાચી નથી. યોહાન 9:3 માં કહ્યું છે કે " ઈસુએ ઉત્તર આપ્યો, “તે આ માણસનાં પાપ કે તેનાં માતાપિતાનાં પાપોથી આંધળો થયો નથી. આ માણસ આંધળો જન્મ્યો છે જેથી કરીને જ્યારે હું તેને સાજો કરું ત્યારે દેવનું સાર્મથ્ય લોકોને પ્રગટ કરાવી શકાય.". એટલેકે જન્મથી ખોડ વાળું બાળક એ પાપની નિશાની નથી. પરંતુ ઈશ્વર તેનો એના મહિમા માટે ઉપયોગ કરે એની નિશાની છે.યર્મિયા1:5 માં કીધું છે કે "તને ગર્ભમાં ઘડ્યો તે પહેલાં મેં તને પસંદ કર્યો હતો; તું જન્મ્યો તે પહેલાં મેં તને આ કામ માટે પવિત્ર કર્યો હતો, આ તો પ્રજાઓના પ્રબોધક થવા માટે મેં તને નીમ્યો હતો.” એટલેકે બાળક જયારે ગર્ભમાં રોપાય છે તે પહેલા ઈશ્વર એના કાર્ય નક્કી કરી ને જ બનાવે છે.
આપણે ઈશ્વર પર ભરોષો અને એને સોંપેલું આ કાર્ય પુરી લગન અને ખંત થી કરવાની જરૂર છે.
આજે આપણે
આવા જ એક કુટુંબની વાત કરી એ. એક કુંટુંબ કે જેમને ત્રણ બાળકો હતા. એક દીકરી 12 વર્ષની, દીકરો 9 વર્ષનો, અને નાની દીકરી 8 મહિનાની. આ નાની દીકરી જન્મથી જ અપંગ હતી. આવા બાળકની સંભાળ માટે વધુ સમય અને વધુ શક્તિ ની જરૂર પડે છે. આવા કુટુંબને સંભળાવામાં પણ લોકો ને મઝા આવતી હોય છે. આ કુટુંબને પણ સંભળાવા માટે લોકો તૈયાર થઇ ગયા કે "તમારા જ કોઈ પાપની આ નિશાની છે.", "આને આશ્રમ માં મૂકી એવો.". કેટલાક કહેવાતા હિતેછુઓ એ સલાહ આપી કે " આને આશ્રમ માં મૂકી એવો. તમે એની પાછળ સમય આપશો તો બીજા બાળકો નું શું થશે?". અને આ માતાપિતા પોતાની આ નાનકડી બાળકીને આશ્રમ મોકવાનું નક્કી કર્યું.
નક્કી દિવસે તેવો આશ્રમ માં મુકવા જય રહ્યા હતા ત્યારે રસ્તામાં રેડિયો પર અપંગ રોજગાર મંડળના પ્રમુખ નો ઇન્ટરવ્યૂ આવી રહ્યો હતો. બાળકીના પિતા ને પ્રમુખભાઈનું   નામ સાંભળી ને યાદ આવ્યું કે આ ભાઈ તો મારી સાથે શાળામાં હતા, ને તેવો જન્મથીજ બંને પગે અપંગ હતા. આ પ્રમુખભાઈ પોતાના બાળપણ ની વાતો કહી રહ્યા હતા, જેમાં એમની માતાની વાતો હતી. તેમને જણાવ્યું કે મારા માતાને હું હંમેશા પૂછતો કે હું જ કેમ ? ત્યારે મારી માતા ઉત્તર આપતી કે "જયારે તારો  જન્મ થવાનો હતો ત્યારે ઈશ્વરે પોતાના દૂતો સાથે મંત્રણા કરી કે આ મારુ ખાસ બાળક છે. આને માટે વિશેષ પ્રેમ, વિશ્વાસ, અને કાળજી ની જરૂર છે. તો એને મારા પર વિશ્વાસમા દ્રઢ કુટુંબ માં મોકલો." અને ઈશ્વરે અમને તેના ખાસ માટે પસન્દ કાર્ય છે. તું  ઈશ્વરનું ખાશ બાળક છે.". માતાની આવી વાતો ની આ પ્રમુખ પર ખુબ અસર થઈ. આ વાતો એમને હંમેશા મુશ્કેલી માં માર્ગ બતાવતી રહી. આ ભાઈ અત્યારે ઈશ્વરના આશીર્વાદ સાથે પ્રમુખ નું કાર્ય કરી રહા છે.   આ સાંભળી ને બાળકીની માતા ની આંખ માં આશુ  આવી ગયા. અને તેણીએ તરત ગાડી ઘર તરફ પછી વળાવડાવી. બાળકીના પિતા વિચાર કરવા લાગ્યા કે આજે એટલા વર્ષે અચાનક મારા આ મિત્ર નો અવાજ આવા પ્રસંગે આવ્યો આ કદાચ ઈશ્વરનો સંકેત જ છે.
નાની ઉંમરે ગંભીર માંદગી કે જન્મથી અપંગતા માટે લોકો માતા ને કે માતાપિતાને દોષી માનતા હોય છે. કોઈ ને પણ પુરી  સમજ કે જાણકારી વગર દોષી માની લેવા આસાન છે. હું  પોતે એવા માતાપિતા ને કે માતા ને ઓળખું છું કે જેમને પોતાના બાળકની માંદગી માટે દોષિત માનવામાં આવી હોય.   બાળક માતાના વિશ્વાસ, કાળજી અને સારવાર થી સાજું થઇ ગયું હોય.  પરંતુ તેની સારવારના સમયે માતાની કાળજી લેવા માં કે તેને હૂંફ આપવામાં લોકો નબળા પડ્યા હોય. આવા કુટુંબો ને ખુબ કાળજી, સમજ અને હૂંફ ની જરૂર હોય છે, ના કે દોષારોપણની. આવો ઈશ્વરના આ ખાસ બાળકની સંભાળ લેવામાં કુટુંબને મદદ રૂપ થઈએ. આ સાથે આવા બાળકોની એક ખુબજ સરાહનીય ફેસબુક પોસ્ટ અહીં મુકેલી લીલનક માં તમે જોઈ જ શકો છો.
https://www.facebook.com/11736558481/posts/10157094454088482/

Purvi Hope

Editor
Olivia Martins

Reference for Bible
Niyati Walter Gilbert

Reference Story
Chicken Soup for the Soul

Reference for Images
Google Images




Thursday 14 March 2019

40 Lent Sessions

અરે તમને ખબર છે કે ઈશ્વર તેમના દૂતો દ્વારા આપણી મદદ કરે છે અને સાથે એ પણ ઈચ્છા રાખે છે કે જેમ તમને મદદ મળી તો તમે પણ બીજા ની મદદ કરો. જુના કરાર માં ગીતશાસ્ત્ર 91:11 માં કીધું છે "કારણ, તું જ્યાં જાય છે ત્યાં દેવ તારું રક્ષણ કરવા માટે તેના દેવદૂતોને આજ્ઞા કરશે.". આજ વાત ની ખાતરી નવા કરારમાં લુક 4:10 માં આપી છે "શાસ્ત્રોમાં લખ્યા મુજબ:‘દેવ તારું રક્ષણ કરવા માટે એના દૂતોને આજ્ઞા કરશે.". ઈશ્વર આપણને ક્યારે પણ એકલા મૂકી દે તા નથી. આજની વાત પણ કંઈક આવું જ દર્શાવે છે.
આ એક સ્ત્રી ની વાત છે . જે લગભગ ૨૫ વર્ષની ઉંમરની હતી અને જેને બે દીકરા હતા, અને તેના અને તેના પતિના છૂટાછેડા થયા હતા. તેની આર્થિક સ્થિતિ બહુ સારી ન હતી. તે મહિને ૩૦૦ ડોલર કમાતી હતી, પણ મહિનો ૩૦૦ ડોલર માં પૂરો કરવો બહુ મુશ્કેલ હતું.
એક દિવસ તે સવારે પથારીમાં થી ઊભી થઇ. તે દિવસ આભારસ્તુતિ (Thanks Giving) નો હતો, અને તેની પાસે પૂરતા પૈસા અને  આભારસ્તુતિ (Thanks Giving) માટે કંઈપણ જમવાનું ન હતું. તે ખૂબ ચિંતા કરવા લાગી તેની પાસે માત્ર ત્રણ હોટ ડોગ હતા. તેણે પોતાના બાળકોને પોતાની સાથે લીધા, અને હોટ ડોગ લઈને બગીચામાં ગઈ ત્યાં તેણે બાળકો સાથે થોડો સમય રમવામાં પસાર કર્યો. ત્યારબાદ ત્રણે જાણે હોટ ડોગ ખાધા અને પછી ઘર તરફ આવ્યા, પણ બાળકો ખુશ ન હતા તેમને ભૂખ લાગી હતી, અને માતા પણ દુઃખી હતી. તેઓ પોતાના એપાર્ટમેન્ટના બિલ્ડિંગમાં આવ્યા. જયાં એક વૃદ્ધ આન્ટી ઉભા હતા. આન્ટીએ તેમને આભારસ્તુતિ (Thanks Giving) ના જમણમાં તેમની સાથે જોડાવા આમંત્રણ આપ્યું. પહેલા તો તે સ્ત્રી મૂંઝાઈ ગઈ પણ તેના દીકરાઓની ભુખ આગળ તે વિવશ બની ગઈ, અને આન્ટીના ઘરમાં આભારસ્તુતિ (Thanks Giving) ના જમણમાં ભાગ લેવા ગઈ. તે અને તેના દીકરાઓ ખૂબ ખુશ થઈને ભોજન માણ્યું, અને જ્યારે ઘર તરફ જવા લાગ્યા ક્યારે આન્ટીએ બચેલું જમવાનું તેમને ડબ્બાઓમાં પેક કરી આપ્યું. ત્રણેમાં દીકરાઓ ખુશ થઈને ઘરે પાછા ફર્યા.



બીજે દિવસે તે સ્ત્રી ડબ્બા પાછા આપવા આન્ટીના ઘરે આવી પરંતુ તેમના ફ્લેટનો દરવાજો બંધ હતો તેણે બારીમાં થી જોયું તો અંદર ઘર એકદમ ખાલી હતું. કોઈ ખુરશી ટેબલ કે કશું પણ હતું નહીં. તે બહુ આશ્ચર્ય પામી અને એપાર્ટમેન્ટના મેનેજર પાસે ગઈ અને આન્ટી વિશે પૂછપરછ કરી. તેના આશ્ચર્ય વચ્ચે તે મેનેજરે જણાવ્યું  કે તે ફ્લેટ દસ-બાર અઠવાડિયાથી સદંતર બંધ છે. તે ખૂબ નવાઈ પામી અને પોતાના ઘરે પાછી ફરી. ત્યારબાદ તેણે એક પાસ્ટર સાથે લગ્ન કર્યા. તેને પોતાનો આ અનુભવ કોઈને કહ્યો નહોતો. પરંતુ એક દિવસ ચર્ચમાં બેઠી હતી ત્યારે, તેને તે અનુભવ લોકોને જણાવવાની ઇચ્છા થઈ. તેણે પોતાની પુરી વાર્તા લોકોને કહી, અંતે ઉમેર્યું કે આપણા દેશમાં આવી ઘણી બધી એકલી માતાઓ રહે છે, જે ઘણી બધી મુશ્કેલીઓમાંથી પસાર થાય છે, અને ચર્ચ તરફથી એક ભંડોળ ઉભું કરવાનું આહવાન આપ્યું, અને આવી એકલી માતાઓને મદદ કરવાનો પ્રસ્તાવ મૂક્યો. બધા લોકોએ સહર્ષ પ્રસ્તાવ સ્વીકાર્યો અને ભંડોળ ભેગું કર્યું જેમાંથી આ પ્રકારના લોકોને મદદ મળે.

આ વાત પરથી આપણે જાણી શકીયે છીએ કે જરૂરતના સમયે મદદગાર ઈશ્વર કછે જ. બાઇબલ માં માર્ક 10:27 માં કીધું જ છે "ઈસુએ શિષ્યો તરફ જોયું અને કહ્યું, ‘આ કઈક એવું છે જે લોકો તેમની જાતે કરી શકે નહિ, તે દેવ પાસેથી આવવું જોઈએ. દેવ બધી વસ્તુઓ કરી શકે છે.’". જરૂરત ના સમયે ઈશ્વર ને પ્રાર્થના થી જ મુસીબત માં રસ્તો નીકળે છે. માથ્થી 21:22 માં કીધું જ છે "જો તમને વિશ્વાસ હોય તો પ્રાર્થનામાં તમે જે કઈ માગશે તે તમને મળશે.”. વળી આ સ્ત્રીની વાત પરથી આપણે જાણીએ છીએ ઈશ્વર જો મને મદદ કરી તો મારે પણ બીજા લોકો જેવો મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થાય છે, અને તેમનો કોઈ મદદગાર નથી તેવા લોકોને આપણે મદદ કરવી જોઈએ. બાઇબલ માં પણ કીધું જ છે  હિબ્રૂઓને પત્ર 13:16 માં કીધું છે કે "બીજાના માટે ભલું કરવાનું  ભૂલશો નહિ. તમારી પાસે જે કાંઈ છે તે બીજા સાથે વહેંચો. કારણ કે દેવ આવાં અર્પણોથી પ્રસન્ન થાય છે."
Olivia Martins

Editor
Purvi Hope

Reference for Bible
Niyati Walter Gilbert

 Reference Story
Chicken Soup for the Soul

 Reference for Images
Google Images