Saturday 30 March 2019

40 Lent Sessions

આંગણાનું ઝાડ 
આજે આપણે જીવન જીવવા ની એક સુંદર રીતે વિશે જાણીશું. ઈશ્વરે આપણને આ પૃથ્વી પર જીવન આપ્યું છે. તેને આપણે ખૂબ આનંદથી જીવી શકીએ છીએ, અથવા આપણને જે પ્રાપ્ત થયું છે, છતાં પણ અસંતોષ અને તણાવ સાથે જ જીવીએ.આ આપણી  છે. આ વાત આપણે આ રીતે સમજીયે.
બે મિત્રો હતા,જેઓ એકજ ઑફિસમાં કામ કરતા હતા. બન્ને પોત પોતાના કુટુંબમાં સુખી હતા. બંને કામ પૂર્ણ કરી અને પોતાના કૌટુંબીક જીવન માં પરોવાઈ જતા હતા. ક્યારેક તેઓને ઓફિસમાં કામનું ભારણ રહેતું. ત્યારે એક મિત્ર તણાવમાં આવી જતો, જ્યારે બીજો મિત્ર હંમેશા તણાવમુક્ત જ જોવા મળતો, અને હંમેશા આનંદથી પોતાના ઘર તરફ પ્રયાણ કરતો. બીજા મિત્ર ના મુખ પરથી તેના જીવનના કોઈ પણ તણાવની ખબર પડતી ન હતી, જ્યારે એનાથી ઉલટુ પ્રથમ મિત્ર નાની-નાની વાતમાં પણ તણાવમાં આવી જતો.

આ મિત્ર ઘરે પોતાનો બધો કંટાળો પોતાના કુટુંબ પર ઉતારતો, કદી તેની પત્ની પર ગુસ્સો કરતો કદીક  કદી તેના બાળકો પર ગુસ્સો કરતો, ક્યારેક ભોજન પર પણ પોતાનો ગુસ્સો ઉતારતો. તે મિત્ર પોતે પણ તણાવમાં રહેતો, અને તેની સાથે રહેનાર સઘળાને તણાવ આપતો. ઘણી વખત તે પોતાના સ્વભાવથી કંટાળતો, તેના કુટુંબના સભ્યો પણ તેના આ વર્તનથી કંટાળો પામતા.

જ્યારે બીજો મિત્ર હંમેશા ખુશ રહેતો અને તેની આજુબાજુના લોકોને પણ ખુશ રાખવાનો પ્રયત્ન કરતો. તે જ્યારે ઓફિસથી ઘરે આવતો ત્યારે પોતાના ઘરમાં પ્રવેશતા પહેલા, તેના ઘરના આંગણામાં એક ઝાડ હતું, તેની એક આદત હતી, કે જ્યારે પણ કામ ઉપરથી ઘરમાં આવે ત્યારે તે ઝાડની ડાળીઓ ને પકડીને થોડીવાર ત્યાં ઉભા રહેતા, ત્યારબાદ ઘરમાં પ્રવેશતા.
 એક વખત એવું બન્યું કે બંને મિત્રો ઓફિસથી સીધા બીજા મિત્રના ઘરે ગયા, રોજની આદત પ્રમાણે બીજા મિત્રે ઝાડ ની ડાળીઓ ને પકડીને થોડીવાર ઊભા રહ્યા અને પછી ઘરમાં પ્રવેશ કર્યો. ઘરમાં પ્રવેશીને તેમણે તેમના બાળકોને બાથમાં લીધા, અને પત્નીનું પણ પ્રેમથી અભિવાદન કર્યું. આ સઘળી પ્રક્રિયા તો બીજો મિત્ર જોયા કરતો હતો. તેણે તરત જ પોતાના ઘરની અને મિત્ર ના ઘર ની તુલના કરી. મિત્રના ઘરનું વાતાવરણ ઘણો આનંદ પૂર્ણ હતું. જ્યારે બીજી તરફ તે અને તેના કુટુંબના લોકો હંમેશા તણાવમાં રહેતા. તે સમયે તેણે કશું કહ્યું નહીં , મિત્રના ઘરે કામ પતાવીને તે પોતાના ઘર તરફ ફર્યો.

બીજા દિવસે ઓફિસમાં જ્યારે તેને તેનો મિત્ર મળ્યો ત્યારે તેણે તેને ઝાડ ની ડાળીઓ પકડીને ઊભા રહેવાનું કારણ પૂછ્યું, તેના મિત્રોએ કહ્યું એ મારું તણાવ લઈ લેનારો ઝાડ છે, હું જ્યારે કામ પરથી ઘરે આવું ત્યારે તણાવમાં હું છું અને કામથી થાકેલો પણ હોવુંછુ, પણ એ બધાંથી મુક્ત થવા માટે મેં આ પ્રયોગ કર્યો છે. જ્યારે પણ ઘરમાં હું પ્રવેશો તે પહેલા હું આ ઝાડ પર મારો બધો તણાવ અને થાક મૂકીને આવું છું. ત્યારબાદ ઘરમાં પ્રવેશું છું. મારા કુટુંબના લોકો સાથે બહુ આનંદથી સમય પસાર કરું છું. જેથી કરીને હું પણ તણાવમુક્ત રહી શકું, અને મારા કુટુંબના લોકોને પણ તણાવ મુક્ત રાખી શકું.

આપણે પણ આપણો તણાવ  અને થાક ઘણી બધી વખત આપણા કુટુંબના લોકો પર ઉતારીએ છીએ. તેઓ ઓફિસમાં રહેલા તણાવ થી વાકેફ હોતા નથી, પણ આપણા વર્તનથી તેઓ કંટાળો અનુભવે છે. ધીરે ધીરે આપણે સાથે વાતચીતનો વ્યવહાર પણ ઓછો કરી દે છે. આજના સમયમાં તનાવ દરેક ના જીવન નો ભાગ છે. જે કામ થી બહાર જાય છે તેવો ને એમનો તણાવ અને જેવો ઘરે છે તેવો ને પોતાનો અલગ તણાવ હોય છે. પરંતુ બિબલે માં કીધું છે "તેમ જો તમે તમારા વિશ્વાસમાં મક્કમ રહેશો તો આ બધામાંથી તમારી જાતને બચાવી લેશો. (લૂક 21:19)". ઈશ્વર આપણને તેની શન્તિ આપે છે "હું તમને શાંતિ આપીને જાઉં છું. હું તમને આપું છું તે મારી પોતાની શાંતિ છે. જગત આપે છે તેના કરતાં જુદી રીતે હું તમને શાંતિ આપીશ. તેથી તમારા હૃદયોને વ્યાકુળ થવા દેશો નહિ. ડરશો નહિ. (યોહાન 14:27)". આ શાંતિ આપણે પ્રાથર્ના દ્વારા મેળવી શકીયે છીએ. ઈશ્વર કહે છે કે "“તમારામાંના જે થાકી ગયા છે અને ભારે બોજ વહન કરી રહ્યા છે તેઓ મારી પાસે આવો. અને હું તમને વિસામો આપીશ. (માથ્થી 11:28)". અને જેવો તેની પાસે આવે છે તેને અંતકાલીન શાંતિ નો અનુભવ થાય છે. હે યહોવા, મારા મન અને હૃદય ચિંતા અને પરેશાનીથી ભરાઇ ગયા હતાં. પરંતુ તમે મને દિલાસો આપ્યો અને મને સુખી બનાવ્યો. (ગીતશાસ્ત્ર 94:19). આવો આપણો  તણાવ ઈશ્વર ને સોંપિયે નહીં કે ગાપણા કુટુંબ કે આપણી આજુબાજુ ના લોકો પર કાઢી ને એમને દુઃખી કરી એ.


Olivia Martins

Editor
 Purvi Hope

Reference for Bible
Niyati Walter Gilbert

 Reference Story
Chicken Soup for the Soul


No comments: