Wednesday 20 March 2019

40 Lent Sessions

ઈશ્વરની યોજના દરેક વ્યક્તિ માટે હોય છે. ઈશ્વર આપણને કોઈપણ સંજોગોમાં મૂકી દેતા નથી. આપણે હતાશ કે નિરાશ થવાની જરૂર નથી. આજે આપણે જોઇશું કે, ઈશ્વર ગમે તે સંજોગોમાં એકબીજાથી દૂર થયેલ વ્યક્તિને પોતાની યોજના પ્રમાણે પાસે લાવે છે. આ વાત આપણે એ જ સમજાવે છે.

એક જુવાન પાળક સાહેબની એક ચર્ચ પર નિમણૂક થઈ, જે ખૂબ જૂનું હતું. પાળક અને તેમના પત્ની એ તે ચર્ચને સમારકામ કરીને નવું બનાવવાનો નિર્ધાર કર્યો. નાતાલના બે મહિના પહેલા તેઓ ચર્ચ પર આવ્યા. તેમણે પોતાનું કાર્ય શરૂ કર્યું. નાતાલ ના લગભગ બે દિવસ પહેલા ત્યાં વરસાદ પડ્યો. ચર્ચમાં કેટલીક જગ્યાએથી પાણી ટપકવા લાગ્યું. પુલપીટની દિવાલમાં કેટલીક જગ્યા થોડી ખરાબ દેખાવા લાગી, બે દિવસમાં તેનું સમારકામ શક્ય હતું નહીં, તેથી તેઓ નજીકમાં જ્યાં ઉપયોગી કપડા મળતા હતા ત્યાં ગયા અને એક મોટુ ટેબલકલોથ(tablecloth) તે ખરીદી લાવ્યા. તે ખૂબ સુંદર ટેબલકલોથ(tablecloth) હતું.  તેને જાંબુડી અને સોનેરી રંગની કિનાર લગાવેલી હતી.

બીજે દિવસે સવારે તેઓ ટેબલકલોથ(tablecloth) લઈને ચર્ચ પરપર આવ્યા, ત્યારે તેમણે એક વૃદ્ધ સ્ત્રીને ચર્ચ પાસે ઉભા રહેલા જોયા. એ દિવસે વાતાવરણ ઘણું ઠંડો હતું. તેથી તેમણે તે વૃદ્ધાને ચર્ચમાં આવીને બેસવાનું કહ્યું કે જેથી કરીને તે ઠંડીથી રક્ષણ મેળવે. તે વૃદ્ધા ચર્ચમાં આવ્યા અને  તેમણે પાળકને કહ્યું "હું અહીં મારા માટે બસની રાહ જોઉં છું કારણકે મારે એક જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા જવાનું છેહું એક કુટુંબમાં તેમના બાળકોને સાચવવાનું કામ કરવા માટે ઇન્ટરવ્યૂ આપવા જાઉં છું.".  તેમણે પાળક સાહેબને તે કુટુંબનું સરનામું અને ફોન નંબર જણાવ્યા.

ચર્ચમાં અંદર આવીને તે સ્ત્રી માથું નમાવીને બેઠી અને પ્રાર્થના કરવા લાગી. પાળક સાહેબ પૂલપીટ ની પાછળ ટેબલકલોથ (tablecloth) લગાવવાનો પ્રયત્ન કરતા હતા, કે જેથી કરીને ત્યાંના કાણા દેખાય નહીં. તે સ્ત્રીએ ઉપર જોયું અને એકદમ તે બોલી ઉઠી "આ મારો ટેબલકલોથ (tablecloth)  છે.". તેણે પોતાની વાત કહી. તે એક શરણાર્થી હતી જે બીજા વિશ્વયુદ્ધમાં વિએના અને ઑસ્ટ્રિયા માં પોતાના પતિ સાથે રહેતી હતી. તેઓ નાઝીઓના વિરોધી હતા. તેથી તેમણે તે સ્થળ બદલી નાખવાનો વિચાર્યું. તેના પતિએ પ્રથમ તેને સ્વિઝર્લેન્ડ માં મોકલી અને કહ્યું હું પાછળથી આવું છું કે જેથી કરીને તેઓ પકડાય નહીં. પરંતુ થોડા વખત પછી તે સ્ત્રીને ખબર પડી કે તેના પતિ લડાઈમાં મૃત્યુ પામ્યા અને હવે તે એકલી હતી. આ ટેબલકલોથ(tablecloth) તેવો ખાસ પ્રસંગોએ વાપરતા હતા. તેમણે પાલકનો આભાર માન્યો અને  તે વૃદ્ધા  પોતાના ઇન્ટરવ્યુના સ્થળે રવાના થઈ ગયા.

તે સાંજે નાતાલની રાત્રી સભામાં બાળક સાહેબ અને બધા લોકો એ સાથે મળીને કેન્ડલલાઈટ માં ખુબ આનંદ કર્યો. સભા સમાપ્ત થયા પછી એક વૃદ્ધ વ્યક્તિ આગળ આવ્યા અને તેમણે પાળક સાહેબ સાથે વાત કરી કે આ ટેબ્લેકલોથ(tablecloth) તેમની પત્નીએ બનાવ્યો હતો. અને જે વાત પેલ વૃદ્ધાએ કરી હતી તે બધી વાત તેમણે ફરીથી કઈ બાળક સાહેબ આનંદ અને આશ્ચર્ય સહિત વૃદ્વ  વડીલને સાંભળવા લાગ્યા. તે વૃદ્ધ વડીલ અંતે દુઃખી થઈને બોલ્યા  મારી પત્ની મરણ પામી છે અને આ ટેબલકલોથ(tablecloth) એ મને તેની યાદ અપાવી છે.

પાળક સાહેબે તે વૃદ્ધને આનંદ સાથે કહ્યું તમારી તમારી પત્ની જીવે છે, અને સવારની પૂરી ઘટના તેમણે તે વૃદ્ધ ને જણાવી, અને કહ્યું કે મારી પાસે તે કુટુંબ નો ફોન નંબર છે હું ફોન કરું અને તમારા માટે તમારી પત્ની ની માહિતી લઈ લઉં છું. પાળક સાહેબે વૃદ્ધાનું સરનામું મેળવ્યા પછી, તેઓ તે વૃદ્ધ સ્ત્રીના એપાર્ટમેન્ટ તરફ ગયા. તેમણે દરવાજો ખખડાવ્યો. તે સ્ત્રીએ દરવાજો ખોલ્યો. તે વૃદ્ધા પાળક સાહેબેને જોઈને આશ્ચ્રર્ય થયું. પરંતુ પાળક સાહેબ સાથે રહેલા પોતાના પતિ ને જોઈ ને ખૂબ જ આનંદ આશ્ચર્ય અનેક ઘણી બધી લાગણીઓ થી તેમનું હૃદય ભરાઈ ગયું. તે  દંપતી એક બીજા ને જોઈ  ખૂબ ખુશ થઈ ગયા. પાળક સાહેબ વિચારવા લાગ્યા કે વિચારવા લાગ્યા કે મારી બદલી, ચર્ચનું સમારકામ, ટેબલકલોથ(tablecloth), વૃદ્ધાનું ચર્ચમાં આવવું આ બધું જ ઈશ્વરની યોજના નો જ ભાગ હોતી કે જેથી કરીને આ વૃદ્ધ દંપતી એકબીજાને મળી શકે.

ઈશ્વર આપણને ઈશ્વરે મારા તમારા માટે પણ કોઈ યોજનાઓ કરી રાખી છે કે જે આપણને દરેક દુઃખ માં કે સુખમાં જોવા મળે છે. નીતિવચન 16:3 તમારા કામો યહોવાને સોંપી દે એટલે તમારી યોજનાઓ સફળ થશે. 4 યહોવાએ પ્રત્યેક વસ્તુને પોતપોતાના હેતુ માટે ર્સજી છે;".  હિબ્રૂમોને પત્ર 13:5 "નાણાનાં લોભથી દૂર રહો તમારી પાસે જેટલું હોય તેટલામાં સંતોષ માનો. દેવે કહ્યું છે:“હું તને કદી મૂકી દઇશ નહિ; અને તને તજીશ પણ નહિ.”". ઈશ્વર કયારે પણ આપણને મૂકી દેતો નથી. 
Olivia Martins


Editor
Purvi Hope


Reference for Bible
Niyati Walter Gilbert

 Reference Story
Chicken Soup for the Soul