Saturday 9 March 2019

40 Lent Sessions

દોસ્તો આજે આપણે આજના સૌથી મોટા ટોપિક પાર વાત કરીયે. એ છે એકલતાં. ગુજરાતી કે અંગ્રેજી ભાષા માં બે જુદાજુદા શબ્દ છે. એકાંત અને એકલતા. અંગ્રેજીમાં અલૉન અને લોન્લી.  આમ જોવાજાવ તો બંને શબ્દ એક જેવા લાગે પણ બંને નો અર્થ અલગ છે. એકાંત એટલે માણસ પોતાની સાથે પોતાની કંપની માણી રહ્યો છે, ઈશ્વરની કંપની માણી રહ્યો છે. એકલતા એટલે માણસ બધા સાથે હોવા છતાં એકલોછે, કે એની સાથે કોઈ નથી. આજનો મોટો પ્રોબ્લેમ આ એકલતા જ છે. માણસ પાસે બધું છે પૈસા, સમૃદ્ધિ, કુટુંબ, મિત્રો અને છતાં માણસ એકલો છે, અંદરથી ખાલી છે.
આપણી પાસે બધું જ છે જે નથી તે ઈશ્વરની સંગત. આજે આપણે એક ભાઈની વાત કરીયે. આ ભાઈ જુવાન,
સુંદર, સફળ, કોંમેંન્ટમાં ભણેલા એટલે ઈશ્વરને ઓળખે. માણસની એક ખાસિયત છે સફળથાવ એટલે ઈશ્વર નો સાથ ઓછો ગમે. દુઃખમાં પ્રભુ યાદ રહે પણ સુખમાં બવ  ઓછાને યાદ આવે.  આ ભાઈ નું પણ કંઈક એવુજ. પણ ધીરે ધીરે એકલતા એમની ચારે બાજુ  વીટળાવા મંડી. એક દિવસ જસ્ટ  ફોર ટ્રાય ભાઈ દેવળ માં ગયા, બેઠા થોડીવાર તો પાડરીસાહેબ ની વાતો ને ભજનો માં ધ્યાન પોરવાની કોશિશ કરી. પછી એજ એકલતા. એમણે મધ્યસ્થીની પ્રાર્થના માં ઈશ્વર સાથે વાત કરવાની કોશિશ કરી. એમને કીધું "હું સુંદર છૂ , સફળ છું, મારી પાસે બધું જ છે તો પણ મને એકલું એકલું, ખાલી ખાલી કેમ લાગે છે?, કેમ હું મારી આજુ બાજુ વાળા સાથે મારુ હૃદય ખોલી ને વાત નથી કરી શકતો. તું મને જવાબ આપીશ?". પ્રાર્થના પતી, પણ ઈશ્વરે કોઈ વાત નો જવાબ આપ્યો નહિ.  ભાઈ ઘરે ગયા, રૂટિન માં લાગી ગયા.
બીજા અઠવાડિયે પાંચ ચર્ચ માં ગયા. પછી પ્રાર્થના માં એજ વાત કહી " હું સુંદર છૂ , સફળ છું, મારી પાસે બધું જ છે તો પણ મને એકલું એકલું, ખાલી ખાલી કેમ લાગે છે?, કેમ હું મારી આજુ બાજુ વાળા સાથે મારુ હૃદય ખોલી ને વાત નથી કરીશકતો. તું મને જવાબ આપીશ?". પ્રાર્થના પતી, પણ ઈશ્વરે કોઈ વાત નો જવાબ આપ્યો નહિ.  પાછા ભાઈ ઘરે ગયા, રૂટિન માં લાગી ગયા.ભાઈ ને પણ લાગવા લાગ્યું કે કઈ થઇ શકશે નહીં. પણ એક ખચાણથી એ ચર્ચ માં જતા.
એક દિવસ સવારે ઉઠ્યા તો એમને કંઈક અલગજ અનુભવ થયો.અંદરથી જાણે કોઈક એમને ભરી દીધા હોય.  છતાં પોતે હૃદય થી હલકા હલકા લાગતું હતું. જાણે કોઈ એમની સાથે છે એમને હૂંફ આપે છે. એમને શાંતિ આપે છે. બધું સુંદર અને પૂર્ણ. શું થયું એ એમને સમજાયું નહીં, પણ જે પણ થયું એ ખુબ સુંદર અનુભવ હતો. એ એમના ક્રમ મુજબ ચર્ચ માં ગયા, પ્રાર્થનામાં એમણે અનુભવ્યું કે જાણે ઈશ્વર કાહિરહ્યા છે કે બીહ માં હું તારી સાથે છું.  ભાઈ ની આંખો છલકાઈ ગઈ.  અમને સમજાયું કે ઈશ્વરે મને ભર્યો.  એમણે ઈશ્વરનો આભાર માનતા કહ્યું કે " ઈશ્વર! એક સમયે માટે મેં તને મૂકી દીધો પરંતુ તે મને ના મુક્યો. તારો આભાર.".
ઈશ્વર કયારેય આપણે મુકિદેતો નથી. આપણે ઈશ્વરને મૂકી ને આગળ દોડવાની કોશિશ કરીયે છીએ. પરંતુ જીવન માં જો ઈશ્વર હશે તો બધું જ ભરેલું , અને એકલતા પણ એકાંત માં બદલાય જશે.bબાઇબલમાં ઈશ્વરે કીધું જ છે તેમ યશાયા 41:10 "તું ગભરાઇશ નહિ, કારણ કે હું તારી સાથે જ છું. તું નાહિંમત થઇશ નહિ, હું તારો દેવ છું, હું તને બળ આપીશ, તને મદદ કરીશ; હું મારા વિજયવંત જમણા બાહુ વડે તને ટેકો આપીશ. ". વળી યહોશુવા 1:5 માં પણ કીધું છે કે "તું જ્યાં સુધી જીવતો રહીશ ત્યાં સુધી કોઈ તને રોકી શકશે નહિ. હું જેમ મૂસાની સાથે રહેતો હતો. તે જ પ્રમાંણે તારી સાથે પણ હું રહીશ. ". જેમ ગીતશાસ્ત્ર 27:10 માં કીધું છે કે "યહોવા મારું તારણ અને પ્રકાશ છે; શા માટે મારે કોઇથીય ડરવું? યહોવા, મારા જીવનનું સાર્મથ્ય છે, શા માટે મારે કોઇનાથી ડરવું? ".આપણેતો બસ એની આજ્ઞા પાળવાની છે અને જેમ માથ્થી 28:20 માં ખત્રી આપી છે તેમ "મેં તમને જે જે આજ્ઞા આપી છે તે પ્રમાણે તેઓને તે આજ્ઞાઓનું પાલન કરવાનું શીખવતા જાઓ અને જુઓ, જગતના અંતકાળ પર્યત સદાય હું તમારી સાથે છું.". ઈશ્વરના વચન થી ખાત્રી દાયક બીજું કૈજ નથી. આપણો મિત્ર, સાથી, ગુરુ બધુજ પ્રભુ ઈશુ છે. જો આવત આપણે આપણા જીવનો માં ઉતારીશું તો એકલતા કયારેય આપણી પાસે પણ આવશે નહિ.
Purvi Hope

Editor
Olivia Martins

Reference for Bible
Niyati Walter Gilbert

 Reference Story
Chicken Soup for the Soul

 Reference for Images
Google Images

.

No comments: