Wednesday 13 March 2019

40 Lent Sessions

મિત્રો આજે આપણે એક ખાસ વાત કરીયે, કે આ જે વાતો તમે વાંચો છો તે કોઈ મનઘડંત નથી. પરંતુ ક્યાંક કયારેક કોઈની સાથે બનેલી ઘટનાની સાક્ષી છે. આ જે પુસ્તક છે એમાં આ વાતો નામ અને સમય સાથે જેતે વ્યક્તિની સાક્ષી વાર્તા રૂપે આપવામાં આવી છે. તો ચાલો આજે પણ ઈશ્વરની અધભૂત દુનિયામાં ઈશ્વરના આવા જ અધભૂત લોકો વિષે વાત કરીયે.
આપણે જીવનમાં એવા ઘણા લોકોને જાણતા હોઈશું કે જોતા હોઈશું જે કોઈને કોઈ કારણસર પથારીવશ હોય. એમના કેટલાક એવા હશે જે પરિસ્થિતિ થી દુઃખી થઇ ડિપ્રેશનમાં આવીગયા હોય, કેટલાક એવા હશે જે પરિસ્થિતિ થી હિંમત હારીને ઈશ્વરને કોસતા હશે, કેટલાક એવા હશે જે પોતાના દુઃખ માટે બીજાને કોસતા હશે, ઘણા એમની સારવાર કરનાર ને હેરાન પણ કરતા હશે, અને કેટલા એવા હશે જે પરિસ્થિતિથી અનુકૂલન સાંધીને જીવનને બને એટલું સારી રીતે જીવવાની કોશિશ કરતા હશે. પરંતુ આ બધાજ ઈશ્વરને એવું પ્રાર્થતાં હશે કે કે તો મને લઇ લે નહિ તો મને સાજાપણું આપ. પરંતુ દોસ્તો આજે અપને ઈશ્વરની એવી દીકરી ની વાત કરીશું જે આ બધા કરતા ક્યાંક જુદી છે. કેવી રીતે? તો તે આ વાત થી જોઈએ અને આજે આપણે એ દીકરી ના નામ સાથે વાત જોઈશું.
વિલ્મા સાથે તેની મોટી બહેન અધા રહેતી હતી. વિલ્મા અધા કરતા બે વર્ષ નાની હતી. અધા એક પ્રેમાળ, હસમુખી, ક્રિએટિવ સ્ત્રી હતી. પરંતુ 6 મહિના પહેલા લકવાના કારણે પથારીવશ હતી અને વિલ્મા સાથે રહેતી હતી. ધીરે ધીરે અધાની સ્થિતિ વધુ ને વધુ બગાડવા લાગી હતી. ડોકટરના કેહવા મુજબ અધા ને ચેતાતંત્રનો લકવા થયો હતો જેમાં તેણીની સ્થિતિ વધુ ખરાબ થવાની હતી. તેની સારવાર નો કોઈજ ઉપાય બાકી રહ્યો નહતો. અધા પહેલા વોકર લઇ ને ચાલતી હતી, પછી વિહ્લચેરમાં આવી ગઈ અને હવે તો એ બિલકુલ પથારીવશ થઇ ગઈ હતી. અધા સંપૂર્ણ પણે વિલ્મા પર નિર્ભર હતી. વિલ્મા પણ આખો દિવસ કામ માં જ પોરવાયેલી રહેતી. કુટુંબ ની જરૂરત પુરી કરવી, ઘર સંભાળવું, અધા ની જરૂરત પૂરી કરવી. અધાની સારવાર એ તેનો મુખ્ય કર્યાહતું. અધા પણ સમજતી હતી કે મારી બહેન મારા માટે કેટલું બધી મહેનત કરેછે. એ પણ થાકી જતી હશે, હું એને કોઈ પણ રીતે મદદરૂપ થઇ શક્તિ નથી. તે વાત નું તેને ખુબ દુઃખ હતું. એક દિવસ અધા એ દુઃખી થઇ ને કહી જ દીધું કે "હું કશા જ કામની નથી, હું કઈ જ કરીશક્તિ નથી." . વિલ્મા આ સાંભળી ને ખુબજ દુઃખી થઇ. એ પોતાની બહેની લાચારી અનુભવી શક્તિ હતી. તેને અધા ને કીધું કે "તું એક કામ તો કરી જ શકે છે. તું બીજા માટે ઈશ્વર ને પ્રાર્થના કરીશકે છે.  જેમકે આજે બાળકો લોન્ગ ડ્રાઈવ પર ગયા છે તો તું એ લોકો પાછા ના આવે થાય શુદ્ધિ એમના માટે પ્રાર્થના કર.". અધા એ આ કામ ખુશી થી ઉપાડી લીધું. થોડા દિવસ પછી પાડોશમાં રહેતા બહેન વિલ્મા ને મળવા આવ્યા. તેમણે તેમના ભાઈ માટે પ્રાર્થના કરવા જણાવ્યું કારણ કે તેમના ભાઈ હોસ્પિટલ માં હતા અને ડૉક્ટર એમના ઘણા ટેસ્ટ કરવા ના હતા. વિલ્મા એ એમ કરવાની હા પડે ને સાથે અધા પણ પ્રાર્થના કરશે તેમ જણાવ્યું. અધા એ આ કામ ખુશી થી ઉપાડી લીધું અને આખો દિવસ ઈશ્વર ની પ્રાર્થના અને વિનંતી માં લાગી ગઈ. 15 દિવસ પછી પાડોશી બેન પાછા  આવ્યા. તેમને જણાવ્યું કે મારો ભાઈ ના બધા રિપોર્ટ નોર્મલ થઇ ગયા છે અને ડૉક્ટરે ઘરે જવાની રજા આપી દીધી છે.
 પડોશી બેને અધા નો ખુબ આભાર માન્યો. આ વાત આખા શહેર માં ફેલાઈ ગઈ ને લોકો અધા પાસે પોતાન પ્રોબ્લેમ લઇ ને આવા માંડ્યા. અધા બધા માટે પ્રાર્થના કરવા લાગી. આબાજુ એની પોતાની તબિયત પણ બગાડવા લાગી. એ જે ધીમું બોલી શકતી હતી તે પણ બંધ થઇ ગયું. તો તે માંથી ધુણાવી ને હા કે ના કેહવા લાગી. વિલ્મા એ એને જણાવ્યું કે બોલાતું ના હોય તો કઈ નાઈ તું મનમાં પ્રાર્થના કર. અધા ની પ્રાર્થના નો ઈશ્વર જવાબ પણ આપતા હતા. પરંતુ અધા એ કયારેય પોતાને માટે પ્રાર્થના ના કરી. આ પ્રાર્થના થી એનું શારીરિક પીડા ઓછી થઇ ગઈ હતી. પણ રોગ ઓછો નહતો થયો. અમને અમન 3 વર્ષમાં અધા નું મૃત્યુ થયું.
શહેરમાં બધા એક વાતે શુશ હતા કે જે તકલીફ અધા ભોગવતી હતી તેમાંથી તેને મુક્તિ મળી, પરંતુ અધા ની જેમ એમના દુઃખ માં સાથે ઉભારેહવા વાળું ચાલ્યું ગયું એનું દૂખ પણ બધાને લાગ્યું. અધા બધા માટે આત્મિક બળ સમાન હતી. બધાનો આત્મિક ટેકો હતી. પથારી માં પડ્યા રહી ને પણ બધા ના દુઃખ માં એ સામેલ હતી.
 અધાએ કયારે પણ પોતાને માટે કઈ માંગ્યું નહિ, પરંતુ બીજા માટે હંમેશ સુખ  ની કામના કરી. દોસ્તો લોકો ને મદદ તમે પૈસા થી કે શારીરિક જ નથી કરી શકતા, પરંતુ ઈચ્છા હોય તો પ્રાર્થના થી પણ તમે ઘણા ને મદદ રૂપ થઇ શકો છો. આ વાત શારીરિક અશક્ત ને જેટલી લાગુ પડે છે એટલી જ  આપણને પણ લાગુ પડે છે.આજે લોકો બીજા ની મુશ્કેલી માં એની ઉપેક્ષા કરતા હોય છે, એની મજાક કે કૂથલી નું કારણ બનાવી દેતા હોય છે. એવું કરવા કરતા એ વ્યક્તિ ને દુઃખ માં માર્ગ કાઢવામાં મદદ કરીયે. એફેસીઓને પત્ર  4:29 માં કહ્યું છે કે "જ્યારે તમે બોલો, ત્યારે કટુવચન ના બોલો, એવું બોલો કે જેની લોકોને જરૂર છે, જે લોકોને શક્તિશાળી બનાવવામાં મદદરૂપ નીવડે. આમ કરવાથી તમારું સાંભળનારને તમે મદદરૂપ થઈ શકશો. ". જુના કરાર માં પણ કૂથલી માટે કહેવાયું છે કે નીતિવચન 11:13 "કૂથલી ખોર વ્યકિત છૂપી વાત બહાર પાડી દે છે, પણ વિશ્વાસુ વ્યકિત રહસ્ય સાચવે છે. ". કઈ જ કરી શકીયે તેમ ના હોય તો આપણે તેના માટે પ્રાર્થના કરીયે તે વધુ સારું નહિ થાય? આજે થોડો વિચાર કરીએ અને બીજા ને મદદ કરી એ. બાઇબલ માં કીધું છે કે હિબ્રૂઓને પત્ર 6:10 "10 પ્રભુ ન્યાયી છે. કારણ કે દેવના લોકો માટે તમે જે કંઈ કાર્યો કર્યા છે, તે દેવ ભૂલી શકે નહિ. તમે સંતો પર દર્શાવેલ પ્રેમ અને હાલ જેમની સેવા કરો છો તે બધું દેવ ભૂલી શકે નહિ." લોકો મદદ માંગે તો આપો માથ્થી 5:42 માં કહેલું છે કે "જો કોઈ તમારી પાસે કંઈક માગે તો તેને અવશ્ય આપો, તમારી પાસે કોઈ ઉછીનું માંગવા આવ તો ના પાડશો નહિ." જુના કરારમાં પણ કીધું છે કે નીતિવચનો  3: 27"જો કોઇને તારી મદદની જરૂર હોય અને તું સમર્થ હોય તો ના પાડીશ નહિ."